SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.’” (વ.પૃ.૪૫૧) ||૧૨।। સદ્ગુરુના ઉપદેશ વિના ને સુપાત્રતાની ખામીજી, કાળ અનંત ગયો તે કારણ, વિના ભાન, છે! સ્વામીજી. સુક્ષ્મ = અર્થ :— સદ્ગુરુનો ઉપદેશ ન મળવાથી અથવા યોગ્યતાની ખામીને લીધે તે ઉપદેશ ગ્રહણ ન કરવાથી પૂર્વે અનંતકાળ વ્યતીત થઈ ગયો. તેનું કારણ પોતાના આત્મસ્વરૂપનું ભાન નહોતું. તેથી હે સ્વામી! હું અનંતકાળથી આ સંસારમાં આથયો છું. અને હજુ પણ પોતાના અભિમાનને મૂકતો નથી. “અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન.’’ -શ્રીમદ્ રાજચંદ્ર ।।૧૩।। ઘર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, મહાભાગ્ય કોઈ દેખેજી, સદ્ગુરુના અનુગ્રહથી તે પણ અંતર્શોથે લેખેજી. સૂક્ષ્મ ૨૭૩ - અર્થ :— ‘ધર્મ’ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. કોઈક મહાભાગ્યશાળીને જ તે અંતર સંશોઘનથી પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોઘન હું કોણ છું વગેરે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. ‘મોક્ષમૂર્ત ગુરુ કૃપા.' “ધર્મ'એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતસંશોઘન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે. (વ..૧૭૮) ||૧૪|| તપતો જીવ સંસાર-તાપમાં શીતળ તેથી થાશેજી, આ ભવનાં આ અન્ય સુખમાં સજ્જન નહીં મુઝાશેજી. સૂક્ષ્મ અર્થ ઃ— સંસારમાં ત્રિવિધ તાપથી તસાયમાન જીવ સદ્ગુરુના વચનામૃતથી શીતળતાને પામશે. આ ભવના આ અલ્પ ઇન્દ્રિયસુખમાં સજ્જન પુરુષો મોહ પામી મુઝાશે નહીં. ‘‘એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે.” (વ.પૃ.૧૭૯૯ ||૧૫|| અનંત ભવનાં અનંત દુઃખો વધારવાં નહિં સારાંજી, અવસર આવ્યો વહી જતો આ, કરતાં “મારાં, મારાં'જી. સૂક્ષ્મ અર્થ :– અનંતભવના અનંત દુઃખો એક ભવના અલ્પ માત્ર શાતાવેદનીયના સુખો માટે વધારવાં = સારા નથી. મોક્ષ પ્રાપ્તિ થઈ શકે એવો અવસર આવ્યો છે છતાં જીવ શરીરાદિ પ૨વસ્તુમાં મારાપણું કરી કરીને તેને વહી જવા દે છે. જેમ એક આંધળાને નગર બહાર નીકળવાનો દરવાજો આવે કે ચાલતાં ચાલતાં ખાજ આવી જાય. તેથી તે દરવાજા પાસે આવ્યા છતાં પણ નીકળી શકે નહીં. તેમ મોક્ષની બારીરૂપ મનુષ્યભવ મળતાં છતાં જીવને ઇન્દ્રિય વિષયરૂપ ખાજ આવવાથી તે ભવપાર થઈ શકતો નથી. ।।૧૬। જીવ પોતાનું સ્વરૂપ ન જાણે, ૫૨ને સમજે ક્યાંથીજી? સ્વપરની સમજણ જ્યાં સુધી નથી, ગેંચાતો ત્યાં સુધીજી, સૂક્ષ્મ અર્થ :— જીવ જ્યાં સુધી પોતાના આત્મસ્વરૂપને ન જાણે ત્યાં સુધી બીજા પણ આત્મા જ છે એમ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy