SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ ૨૫૮ ઉપાર્જન કરતો અટકે. મયણાસુંદરીને સદ્ગુરુ ભગવંતનો યોગ મળવાથી ‘હું આપકર્મી છું’ એમ પિતાને જણાવ્યું. જ્યારે સુરસુંદરી મિથ્યા શાસ્ત્રો ભણવાથી ‘હું બાપકર્મી છું’ એમ કહ્યું. પૂર્વભવોમાં મહાન પુણ્યના ઢગલા ભેગા થાય ત્યારે એવા સદ્ગુરુ ભગવંતનો યોગ મળે છે. તેથી જીવો કષાયભાવોને ઉપશમાવી, યોગ્ય બની મોક્ષમાર્ગને પામે છે. રા વીતરાગ પરમ પુરુષ સમાગમ વિના, જૈવ થાય મુમુક્ષુ કેમ ઉપાસ્યા વિના? તે વિના મળે ના સમ્યક્ જ્ઞાન કહીંથી; તે વિના ક્યાંથી જ સમ્યક્ દર્શન રીતિ? ૩ અર્થ = · વીતરાગ પરમ પુરુષના સમાગમ વિના અને તેમની આજ્ઞા ઉપાસ્યા વિના જીવ મુમુક્ષુતા કેમ પામે? તથા સત્પુરુષના સમાગમ વિના સમ્યજ્ઞાન કોઈ ઠેકાણે મળી શકે નહીં. અને કારણરૂપ સમ્યજ્ઞાન વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? એ જ અનાદિની રીતિ છે. IIII તે વિના ચારિત્ર સમ્યક્ ક્યાંથી પામો? નહિ બીજે ક્યાંયે ત્રણે વસ્તુનાં ઘામો. તે ત્રણે અભેદે મોક્ષમાર્ગ અવિરોધી, કળિકાળ–જીવો, લ્યો યથાશક્તિ આરાથી. ૪ અર્થ - સમ્યક્દર્શન વિના સમ્યક્ચારિત્ર પણ ક્યાંથી પામો? સત્પુરુષ વિના બીજે ક્યાંય આ ત્રણેય વસ્તુઓ મળી શકે એમ નથી. સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય ગુણો આત્માથી ભિન્ન નથી; નિશ્ચયનયથી જોતાં ત્રણેય આત્મામાં જ છે. સમ્યક્દર્શનાદિ ત્રણેય ગુણો જ્યારે અભેદરૂપે આત્મામાં પ્રવર્તે ત્યારે તે અવિરોઘી એટલે જેમાં કાંઈ વિરોધ ન આવે એવા મોક્ષમાર્ગને પામ્યો અથવા પોતાના નિજ સ્વરૂપને પામ્યો એમ ગણાય છે. માટે હે કળિકાળના જીવો! એ રત્નત્રયને યથાશક્તિ આરાથી તમે મોક્ષમાર્ગને પામો. ૫૪૫ આજ્ઞા જ્ઞાનીની ભવ તરવાનો સેતુ; છે જન્મ, જરા ને મરણ મુખ્ય દુખ-હેતુ. તે દુઃખનો આત્યંતિક અભાવ શી રીતે? તે ના સમજ્યાથી જીવ વર્તે વિપરીતે. ૫ અર્થ :— જ્ઞાનીપુરુષની આજ્ઞા ઉઠાવવી તે ભવસાગર તરવા માટે સેતુ એટલે પુલ સમાન છે. આ સંસારમાં જન્મ, જરા અને મરણ એ મુખ્ય દુઃખના હેતુ છે. તે દુઃખનો આત્યંતિક એટલે સંપૂર્ણ અભાવ શી ૨ીતે થાય? તે ન સમજવાથી જીવ વિષયકષાયમાં સુખમાની વિપરીતપણે પ્રવર્તે છે. ।।૫।। વિપરીત ઉપાયે દુઃખ-સંતતિ વધતી, તે દુ:ખ ટાળવા ગ્રહે વળી દુખરીતિ. દુખ આકુળતારૂપ, ઇચ્છા જનની તેની, મટે આકુળતાથી એ આકુળતા શેની?૬ અર્થ :— ખરા સુખના ઉપાયો ન મળવાથી પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખની કલ્પના કરીને જીવ દુઃખની પરંપરાને વધારે છે. વિષયોની ઇચ્છાનું દુઃખ ટાળવા જતાં વળી આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગે છે. તેથી આકુળતા વધે છે. અને આકુળતા એ જ ખરું દુઃખ છે. જ્યારે નિરાકુળતા એ ખરું સુખ છે. આકુળતારૂપ દુઃખને જન્મ આપનારી જનની તે ઇચ્છા છે. તે ઇચ્છાઓ ભોગો ભોગવવાથી વિશેષ વધે છે પણ ઘટતી નથી. માટે ઇચ્છાઓની આકુળતાને ભોગો ભોગવી તૃપ્ત કરવાથી તે આકુળતા મટતી નથી પણ વિશેષ વર્ધમાન થાય છે. ૬ના નિજ ઇચ્છા મુજબ જો જગ આખું ચાલે, નહિ તો ય સર્વથા નિરાકુળ જીવ મ્હાલે; સુખ દેવગતિમાં માગ્યું સર્વ મળે છે, ત્યાં ઇચ્છા નવી નવી જાગ્યે કળ ન વળે છે. ૭
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy