SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨૨૭ A લાઈવ અર્થ - સમ્યજ્ઞાન વિના આ બધું ટકી શકશે નહીં. માટે જ્ઞાની પુરુષની શોધ કરું. એ શોઘ કરતાં સંતપુરુષોનો સમાગમ થયો. અને હું સદગુરુનો બોઘ પામી ગયો. ll૩પાા સત્ય યથાર્થ ઉરે વસ્યું, લાગ્યું નકલી સર્વ, માયિક સૌ પ્રપંચમાં સ્ખ ગયું તે વ્યર્થ. ૩૬ અર્થ - યથાર્થ સત્ય જે હતું તે હૃદયમાં વસવાથી બીજું બધું નકલી ભાસ્યું. માયિક એટલે સાંસારિક સૌ પ્રપંચમાં જે સુખ ગયું હતું તે સર્વ વ્યર્થ લાગ્યું. ૩૬ો. આત્મિક સુખ સ્વાથીન ને શાશ્વત, સાચું શ્રેય, તે ભૂલી નશ્વર સુખે ભમવું તે અશ્રેય. ૩૭ અર્થ - આત્માનું સુખ તે સ્વાધીન અને શાશ્વત, સાચું અને શ્રેયરૂપ ભાસ્યું. તેને ભૂલી નાશવંત એવા ભૌતિક સુખ પાછળ ભટકવું તે આત્માને અશ્રેય એટલે અકલ્યાણકર્તા જણાયું. ૩ળા એમ ગણી મુનિ હું બન્યો, તજી સર્વ જંજાળ, વિના પ્રયત્ન દેખ આ પશુનાં હૃદય વિશાળ. ૩૮ અર્થ - એમ ગણીને જગતની સર્વ જંજાળને તજી હું મુનિ બની ગયો. આ મુનિ જીવનના પ્રભાવથી વિના પ્રયત્ન આ પશુઓના હૃદય પણ દયાભાવથી વિશાળ બની ગયા છે. તે તું આ જોઈ લે. તને પણ આ પશુઓ દયાભાવથી અહી હરી લાવ્યા છે. ||૩૮. હરણ તને હર લાવિયું, નાગ કરે ઉપદેશ, સિંહ બન્યો બકરી સમો, જાતિ-સ્મૃતિ-ફળ-લેશ. ૩૯ અર્થ – આ હરણ દયાભાવથી તને અહીં હરી લાવ્યું, નાગદેવે તને ઉપદેશ કર્યો, સિંહ બકરી જેવો બની ગયો. અમારા ઉપદેશથી આ સર્વને જાતિસ્મરણજ્ઞાન થયું છે. તેનું આ કિંચિત્ ફળ જણાય છે. ૩૯ાા અચિંત્ય આત્મિક યોગ આ, જગ-જંતુ-હિતકાર, હવે કહું નવ તત્ત્વ હું, તે તું ચિત્ત ઘાર. ૪૦ અર્થ - જે ચિંતવી પણ ન શકાય એવો અચિંત્ય આત્મિક સુખ પ્રાપ્તિનો યોગ આ તને બન્યો છે, જે જગતના સર્વ જંતુને હિતકર્તા છે. હવે હું તને નવ તત્ત્વ કહું છું. તે તું ચિત્તમાં ઘારણ કર. ૪૦ના તેં તત્ત્વો જે દાખવ્યાં, ઘર્મ-પ્રભાવી તેહ, મોક્ષ-મૂળ તત્ત્વો કહું, કહ્યાં પ્રભુએ જેહ - ૪૧ અર્થ - શ્રી મુનિવર રાજાને કહે છે કે તેં જે અભયદાન, તપ, ભાવ, બ્રહ્મચર્ય, સંસારત્યાગ, સુદેવભક્તિ, નિસ્વાર્થી ગુરુ, કર્મ અને સમ્મદ્રષ્ટિ એ નવ તત્ત્વો દર્શાવ્યા તે ઘર્મની પ્રભાવના કરવાવાળ છે. હવે હું તને ભગવાને મોક્ષપ્રાપ્તિ અર્થે આવશ્યક મૂળ તત્ત્વો દર્શાવ્યા તે કહું છું. I૪૧ આત્મા ઉત્તમ તત્ત્વ છે. તેમાં સર્વ સમાય. આત્મા જો જાયો નથી, જ્ઞાન નિરર્થક થાય. ૪૨ અર્થ :- સર્વે તત્ત્વોમાં આત્મા એ ઉત્તમ તત્ત્વ છે. તેમાં સર્વ તત્ત્વો સમાય છે, જેણે આત્મ જાણ્યો તેણે સર્વ જાણ્યું.” જો આત્મા જાણ્યો નથી તો બીજું જાણેલું સર્વ જ્ઞાન નિરર્થક થાય છે. ૪રા અતિ- ફ ટ કર્યો, સિ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy