SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ ૨૧૭ અર્થ - જેને કીર્તિની ઇચ્છા, માન કષાયથી હોય તે તો પોતાના દોષને ભોંયમાં જ ભંડારે. અને દેખાડે કે મને તો કર્મ નડતા નથી. અથવા અહંકાર કે કોઈ પર કરેલ ક્રોઘ પણ અમને બાઘા કરે નહીં એમ ભપકો ભભકાવત. પટા. ચાહું તેમ કરી શકું, તારણ-તરણ જહાજ,” ભભકો ભભકાવે બહું, ઘરે ન ઉરે લાજ. ૫૯ અર્થ – હું ચાહું તેમ કરી શકું. હું તો તારણ તરણ જહાજ છું. એવો બહુ ભપકો ભભકાવત. એવું બોલતા તેમને હૃદયમાં લાજ પણ આવત નહીં. /પલા. નિસ્વાર્થી સાચા ગુરુ, સત્ય-પ્રિય ને નમ્ર, સૂંઠી પ્રશંસા નિજ તજે, ઘરે ન માયિક ધૂમ્ર. ૬૦ અર્થ - નિઃસ્વાર્થી એવા સાચા ગુરુ તો સત્ય-પ્રિય અને નમ્ર હોય છે. તે પોતાની જૂઠી પ્રશંસાનો ત્યાગ કરે છે. તેઓ મોહમાયામય ધૂમ્ર એટલે ધૂમાડાનો સંગ્રહ કરતા નથી. II૬૦ના. નિર્વિકારી એવા ગુરુ કરે આત્મ-હિત-બોઘ, કર્મ તણો સિદ્ધાંત આ પ્રશસ્ય ને અવિરોથ. ૬૧ અર્થ - નિર્વિકારી એવા શ્રી ગુરુ માત્ર આત્માનું હિત થાય એવો જ બોધ કરે છે. આ ભગવાનનો કહેલો કર્મનો સિદ્ધાંત તે પ્રશસ્ય એટલે પ્રશંસા કરવા લાયક છે અને તે પૂર્વાપર અવિરોઘ છે. II૬૧ સારાસાર વિચારણા, તર્જી સર્વ પક્ષપાત, સમ્યકષ્ટિ તે ગણી, વિવેકરૂપ વિખ્યાત. કર અર્થ :- સર્વ પક્ષપાત મૂકીને સાર કે અસાર સંબંધી વિચારણા કરવી તેને જ્ઞાની પુરુષોએ સમ્યક દ્રષ્ટિ ગણી છે, જે જગત પ્રસિદ્ધ વિવેકરૂપ છે. I૬રા વિવેકદ્રષ્ટિ વિના મૂંઝે ક્યાંથી સત્ય પદાર્થ? સત્ય સૂઝયા વણ ના ગ્રહે; આ સિદ્ધાંત યથાર્થ. ૬૩ અર્થ - વિવેકદ્રષ્ટિ વિના પદાર્થનું સત્ય સ્વરૂપ ક્યાંથી જણાય. અને સત્ય એટલે ખરું સૂઝયા વિના ગ્રહણ પણ ક્યાંથી થાય. માટે ભગવંતે કહેલો આ સિદ્ધાંત પણ યથાર્થ છે. IIકડા. માળા નવ સિદ્ધાંતની નવસર-મુક્તાહાર રાવણ સમ કંઠે ઘરું, દશ શિર જણાવનાર. ૬૪ અર્થ - અહિંસા સહિત આ નવ સિદ્ધાંતની માળા તે નવસેર મોતીના હાર જેવી છે. તેને હું રાવણ સમાન કંઠે ઘારણ કરું કે જે એક મસ્તકના દશ મસ્તક જણાવનાર છે. એ માળાને જે પહેરે તે દિવ્ય સુખનો ભોક્તા થાય છે. ૬૪ જૈન સાધુ-મુખથી સુણ્યા સિદ્ધાંતો બહુ વાર, પણ દ્રષ્ટિ ભલી ક્યાં હતી? સ્મૃતિ-અનુસાર વિચાર. ૬૫
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy