SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (પર) સમાધિ-મરણ ભાગ-૧ પહેરતા શોક શો? તેમ જીર્ણ શરીર મૂકી દઈ નવું ઘારણ કરવામાં શોક શો કરવો? દેહરૂપી દેશ મૂકી નવા દેશમાં જતાં સ્વસ્થભાવ રાખું. સમાધિભાવ સહિત મરણ કરું તો આ મૃત્યુ મિત્ર મને સ્વર્ગે લઈ જઈ શુભ કર્મોનું ફળ આપશે. તો આ મરણનો ડર કોણ રાખે? માટે બધા ભેગા મળી મરણરૂપી આ મિત્રનો સત્કાર કરો. //૧૯ો. તન-પિંજરમાં પૂરી પડે છે ગર્ભકાળથી કર્મ-અરિ, કોણ મને ત્યાંથી છોડાવે? મૃત્યરાજની મદદ ખરી. દેહ માત્ર ગણ બીજ સૌ દુખનું દેહ-વાસના દૂર કરે, આતમજ્ઞાની, મૃત્યુ મિત્રની કૃપા વડે મુક્તિ ય વરે. ૨૦ અર્થ - શરીરરૂપી પાંજરામાં ગર્ભકાળથી પૂરીને આ કર્મરૂપી શત્રુ મને પીડા આપે છે. ત્યાંથી મને કોણ છોડાવી શકે? તેમાં મૃત્યુરાજની મદદ કામ લાગે એમ છે. | સર્વ દુઃખનું બીજ માત્ર આ દેહ છે. એમ ગણી દેહની વાસના એટલે મૂર્છાને દૂર કરે તો આત્મજ્ઞાન પામે. આત્મજ્ઞાની પુરુષો તો આ મૃત્યરૂપી મિત્રની કૃપાવડે મુક્તિને પણ મેળવી લે છે. ૨૦ાા કલ્પતરું સમ મૃત્યુ-યોગે જો આત્માર્થ ન સિદ્ધ કર્યો, તો આવી તક ક્યાંથી મળશે? ભવ ભવ ભમશે ભીતિભર્યો. દેહાદિક સૌ જીર્ણ હરી લઈ દે મૃત્યુ સૌ નવું નવું, પુણ્યોદય સમ મરણ ગણાય; તેથી મુદિત ન કેમ થવું? ૨૧ અર્થ - કલ્પવૃક્ષ સમાન મૃત્યુનો યોગ પ્રાપ્ત થયા છતાં જો સમાધિમરણ કરીને આત્માર્થ સિદ્ધ ન કર્યો તો ફરી આવી તક ક્યાંથી મળશે? ભવોભવ ત્રસ સ્થાવર યોનિમાં ભયનો માર્યો જીવ ભટક્યા જ કરશે. શરીર આદિ જે સર્વ જિર્ણ થઈ ગયા તેને હરી લઈ મૃત્યુ મિત્ર સૌ નવા નવા પદાર્થોને આપે છે. તેથી પુણ્યોદય સમાન આ મરણનો યોગ ગણાય. તો તે વડે મુદિત એટલે આનંદિત કેમ ન થવું? અર્થાત્ હર્ષ કેમ ન માનવો? Iારવા દેહ વિષે પણ સુખ-દુખ વેદે, સ્વયં દેહથી દૂર થતો, જીવ મરણ કોનું માને છે? કેમ મરણથી ર્હે ડરતો? આસક્તિ સંસાર તણી ઉર રાખે ર્જીવ મરતાં ડરશે, જ્ઞાન અને વૈરાગ્ય ઘર્યો ઉલ્લાસ ઉરે અંતે ફરશે. ૨૨ અર્થ :- આ જીવ દેહમાં રહીને પણ સુખદુઃખને વેદે છે. તેમાં પણ મુખ્યત્વે અશાતા જ વેદે છે. વળી આ દેહમાંથી જીવ પોતે જ બહાર નીકળીને શરીરથી દૂર થાય છે, તો પછી આ જીવ મરણ કોનું માને છે? અને મરણથી કેમ ડરતો રહે છે? સંસારની આસક્તિ જ્યાં સુધી હૃદયમાં હશે ત્યાં સુધી આ જીવ મરણથી ડરતો રહેશે. પણ જ્ઞાન અને વૈરાગ્ય કહેતા સાચી સમજણ અને અનાસક્તભાવ ઘારણ કરશે તો મરણના અંત સમયે હૃદયમાં ઉલ્લાસભાવ સ્કુરાયમાન થશે અને ઉત્તમ સમાધિમરણને પામશે. ૨૨ા. પુરપતિ સુકૃત-ફળ ભોગવવા જ્યાં પોતે તૈયાર થયો. પંચભૂત-પ્રપંચ ન ખાળે, કોણ કહે: જીંવ કેમ ગયો?
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy