SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયોને પણ જીતે છે. રા (૬૮) પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર ભેદનો ભેદ ટવાથી ન્હાતીત મુનિદશા હૈ, કન્ન યથાશક્તિ ધર્મમૂર્તિ થવા પ્રયત્ને વસ્યા રે; થવા સૌને વેષાદિક એક ઉરે તીર્થનાય છે રે, ઉજ્જૈ ઘરે જિનાગમ-અભ્યાસ, વાણી સ્યાદ્વાદ છે રે, વાણી ૨૪ અર્થ ઃ– પરમાત્મા અને પોતાના આત્મસ્વરૂપમાં જે અજ્ઞાનને લઈને ભેદ હતો, તે ભેદ આત્મજ્ઞાન થતાં ટળી જવાથી સુખદુઃખ, હર્ષશોક, માન અપમાન આદિના સંતોથી રહિત મુનિ મહાત્માઓની આત્મદશા હોય છે. તેઓ હમેશાં યથાશક્તિ પુરુષાર્થ કરી પોતાનું કેવળજ્ઞાનમય સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટાવી ઘર્મમૂર્તિ બનવા પ્રયત્નશીલ રહે છે. આચાર્ય, ઉપાઘ્યાય અને સાધુ ભગવંત એ ત્રણેયના વેષ કે આચાર એક છે. ત્રણેયના હૃદયમાં ભગવાન તીર્થનાથ બિરાજમાન છે. ત્રણેય જિનાગમના અભ્યાસમાં લીન રહે છે. તેમજ તેમની વાણી પણ સ્યાદ્વાદથી યુક્ત હોય છે. ।।૨૪।। આત્મદૃષ્ટિથી દેખતા ફૂંક કે રાયને રે, ક મુખ્યપણે નિર્વિકલ્પ સ્વરૂપે મગ્ન તે રે; સ્વરૂપે તો ય કદી ઘર્મ-લોભી જીવોને નીરખી રે, જીવોને દયા થતાં રાગ- દયે, જગાડે બોધથી રે, જગાડે ૨૫ ૧૮૩ અર્થ :— તે ત્રણેય મહાત્માઓ, રાજા હો કે રંક હો બધાને આત્મદૃષ્ટિથી જુએ છે. તેઓ મુખ્યપણે = નિર્વિકલ્પ રહી આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે. તો પણ કોઈ દિવસ જેને ઘર્મ જાણવાનો લોભ છે, ધર્મના ઇચ્છુક છે, તેમને જોઈને શુભ રાગના ઉદયથી તેમના પ્રત્યે દયા આવવાથી, તે જીવોને બોધ આપી મોતનીદ્રામાંથી જગાડે છે. IIરપા સમ્યક્ જ્ઞાનાદિ અધિક લખી સૂરિપદ દીધું રે, લખી તે સંઘપતિ આચાર્ય મનાય તેનું કીધું રે; મનાય તે દે દીક્ષાનું દાન, દર્દીથી દીક્ષા છેદતા રે, દર્દીથી આચાર પાળી પળાવે, પ્રાયશ્ચિત્ત આપતા રે પ્રાયઃ ૨૬ સર્વ શ્રી આચાર્ય ભગવંતના પદ વિષે જણાવે છે – = અર્થ :– જેનામાં સમ્યક્શાન તથા શાસન ચલાવવાની વિશેષ યોગ્યતા જોઈને શ્રી ગુરુએ સૂરિપદ અર્થાત્ આચાર્યપદ આપ્યું તે સકળ સંઘના ઉપરી સંઘપતિ આચાર્ય કહેવાય છે. તેમનું કહેલું સકળ સંપ માન્ય રાખે છે. તે યોગ્ય જીવોને દીક્ષાનું દાન આપે અથવા કોઈ અપરાઘ થયો હોય તો શિક્ષારૂપે તેના દીક્ષાપર્યાયને અમુક વર્ષ માટે છેદી શકે છે. પોતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને શુદ્ધ રીતે પાળી બીજા મુનિઓને પણ પળાવે છે. કોઈ દોષ થયા હોય તો સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિઘ સંઘને પ્રાયશ્ચિત્ત આપે છે. તે જ્ઞાની ભગવંત ગીતાર્થ હોઈ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રના જાણનાર હોય છે. ||૨|| ઘર્મ-આદેશ-ઉપદેશ કહ્યું કામ સૂરિનું રે, કહ્યું ન સંધ-પોષણ ઉપકાર કાર્ય ધર્મ-ઘોરીનું રે; કાર્ય
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy