SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પદાર્થોના દર્શક શ્રી તીર્થંકરદેવને બીજી સર્વ પ્રકારની ઇચ્છાઓનો ત્યાગ કરી નમસ્કાર કરું છું તથા તેમની સેવાને હમેશાં ચાહું છું. “જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) //ફા. પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કર્યા થકી રે, વિચાર વિચારોના સરવાળે સન્દુરુષના પ્રતિ રે, સપુરુષ૦ જેના વચનથી ભક્તિ હવે ઉત્પન્ન થઈ રે, હવે તે તીર્થપતિ-વચનામૃત નમું શિર પર લઈ રે. નમું. ૭ અર્થ – પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારોના સરવાળે સપુરુષ પ્રત્યે જેના વચનથી હવે ભક્તિ ઉત્પન્ન થઈ, તે તીર્થપતિના વચનામૃતને શિર પર ચઢાવી આદરપૂર્વક વિનયભાવે નમસ્કાર કરું છું. “પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં પુરુષને વિષે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) //ળી. જીંવના ઘણાય પ્રકારે વિચાર કર્યા કર્યા રે, વિચાર, આત્મારૂપ પુરુષ વિણ જીવ જાણ્યો જાય ના રે, ર્જીવ એવી જ નિશ્ચળ શ્રદ્ધા પ્રગટ જેથી થઈ રે, પ્રગટ તે જિન માર્ગ-બોઘને નિત્ય નમું ગ્રહી રે. નિત્ય ૮ અર્થ - જીવ દ્રવ્યને ઓળખવા ઘણા પ્રકારે વિચાર કર્યો છતાં, તે જીવ આત્મામાં રમણતા કરનાર પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એવી નિશ્ચળ એટલે દ્રઢ શ્રદ્ધા જે વડે ઉત્પન્ન થઈ, તે શ્રી તીર્થકરે બોધેલ વીતરાગ માર્ગને ગ્રહણ કરીને સદા નમસ્કાર કરું છું. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોઘને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) IIટા જીંવનો જ થવા વિચાર વિવિઘ પ્રકારથી રે, વિવિઘ૦ તે જીવની થવા પ્રાપ્તિ યોગ અનેકથી રે, યોગ, કર્યો બળવાન પરિશ્રમ તોય ન પામિયો રે, તોય૦ તે જીવ જેથી સહજ જ જાણે આપિયો રે. જાણે ૯ અર્થ – વિવિધ પ્રકારથી આત્માનો વિચાર થવા માટે, તે આત્મદ્રવ્યની પ્રાપ્તિ થવા માટે, યોગાદિક અનેક સાધનોનો પૂર્વે બળવાન પરિશ્રમ કર્યા છતાં તે આત્મસ્વરૂપની પ્રાપ્તિ નહીં થઈ; તે આત્મા જે વડે સહજ પ્રાપ્ત થાય છે એવા શ્રી તીર્થંકરદેવના વચનામૃત છે. તેને હું નમસ્કાર કરું છું. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાઘનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) III તે જ કહેવાને કાજ વચન-રચના મહા રે, વચન, તે તીર્થકર-ઉદ્દેશ-વચન કેવાં અહા! રે, વચન
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy