SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રતિ-અરતિ શય્યા-સ્થાનકમાં થતાં મુનિ પાપી પડ઼ જાશે, અવિકારક શય્યા-સ્થાનકમાં ખમતાં દુખરાત્રિ વહી જાશે; પલંગ-પથારી તર્જી પથ્થર પર રેતી, કાંકરા પર સૂતાં રે કાયર થાય ન કોમળતનુઘર મુનિ માને કૃત પાપ છૂટ્યાં રે. ૧૩ અર્થ :- ૧૧. શય્યા પરિષહ – સૂવાના સ્થાન ઊચા નીચા હોય કે સારાનરસાં હોય તેવા સ્થાનમાં જો મુનિ રતિઅરતિ એટલે રાગદ્વેષ કરશે તો તે પાપી બની જઈ સંયમથી પડી જશે. પણ સ્ત્રી આદિની બાઘાથી રહિત એવા અવિકારક સુવાના સ્થાનકમાં દુ:ખ ખમતાં આ રાત તો વહી જશે એમ વિચારી મનને દ્રઢ કરે. પલંગની પથારીને મૂકી પત્થર, રેતી કે કાંકરા પર સૂતા કોમળ શરીરના ઘારક મુનિ પણ કદી કાયર થતા નથી; પણ એમ માને છે કે આ પ્રમાણે સહન કરવાથી મારા કરેલા પાપો છૂટે છે. આખી અવન્તિ નગરીમાં સુકોમળ એવા અવન્તિ સુકુમાળે પણ દીક્ષા લઈ આવી કોમળ પથારીનો ત્યાગ કરી દીધો હતો. [૧૩ાા. મુનિ દેખી દુર્જન કો બોલે : “આ શઠ, પાખંડી, અભિમાની,” એ કર્કશ વચને ના કોપે, ક્ષમા-ઢાલ ઘરતા રે જ્ઞાની; દુઃખદ કણે કંટકસમ સુણી વાણી, ઉપેક્ષા મુનિવર ઘારે, મનમાં સ્થાન મળે ના તેને આત્મ-માહાભ્ય જ્યાં વિચારે. ૧૪ અર્થ:- ૧૨. આક્રોશ પરિષહ – મુનિને જોઈ કોઈ દુર્જન એમ બોલે કે આ તો શઠ એટલે ઠગ છે અથવા પાખંડી કે અભિમાની છે. એવા કર્કશ વચનો સાંભળીને પણ જ્ઞાની પુરુષો કોપે નહીં પણ ક્ષમારૂપી ઢાલ ઘરીને સામાના વારને સહન કરે છે. કોઈ દુઃખને દેવાવાલી એવી કાને કાંટા સમાન વાણી બોલે તો પણ મુનિવર સાંભળીને મૌન રહે. તેની ઉપેક્ષા કરે પણ તેવા વચનોને મનમાં સ્થાન આપે નહીં. પણ આત્માના ક્ષમા આદિ ગુણોના માહાભ્યને વિચારી સદા શાંત રહે. પરમકૃપાળુદેવ, પ.પૂ.પ્રભુશ્રીજી કે પૂ.શ્રી બ્રહ્મચારીજી ઉપર આવા પરિષહ આવ્યા છતાં સમભાવમાં રહી કમની નિર્જરા કરી છે. ૧૪ સહનશીલતા ઉત્તમ વર્તન” માની, માર સહે મુનિ ભારે, પૂરી કેદમાં ગુપ્ત દંડ દે, બળતામાં નાખીને મારે, પથ્થર, મુગર, ડાંગે મારે કે તરવારે સંહારે રે! તોપણ કોપ કરે ન કદાચિત્ પૂર્વકર્મફળ વિચારે રે. ૧૫ અર્થ :- ૧૩. વઘ પરિષહ :- સહનશીલતા રાખવી એજ ઉત્તમ વર્તન છે. “ક્ષમા એજ મોક્ષનો ભવ્ય દરવાજો છે” એમ માનીને ક્ષમા શ્રમણ એવા મુનિઓ ભારે મારને પણ સહન કરે છે. કેદમાં પૂરીને ગુમરીતે દંડાદિકથી મારે કે બળતામાં નાખીને મારે, કે દ્રઢપ્રહારીની જેમ પથ્થર, મુદુગર કે ડાંગથી મારે કે તલવારથી વધ કરે તો પણ મુનિ કોઈ પ્રત્યે કદાચિત ક્રોઘ કરે નહીં. પણ પોતાના જ પૂર્વકમેના બાંધેલા કર્મોનું આ ફળ છે એમ વિચારી શાંત રહે છે. ૧૫ દીથા વણ કૈ લે ન મહાવ્રત, ‘માગ્યા વણ માય ન દે” ઉક્તિ, ઘર તર્જી છૅવવું એવું દુષ્કર, પરાશીના જીંવ મુનિ લે મુક્તિ;
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy