SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ માયારૂપ અવાચ્ય કહ્યું છે, બ્રહ્મરૂપ પણ તેવું રે; જગજન કંઈ કંઈ માની બેઠા; સંત કહે : “નહીં એવું રે'શ્રીમદ્ અર્થ - વેદાંતમાં ઈશ્વરીમાયાનું સ્વરૂપ અવાચ્ય એટલે વાણીથી વર્ણવી શકાય નહીં એમ કહ્યું છે. તેમ બ્રહ્મ એટલે આત્માનું સ્વરૂપ પણ વાણીથી વર્ણવી શકાય નહીં. પણ અનુભવી શકાય એવું છે. છતાં જગતવાસી જીવો આત્માને ક્ષણિક કુટનિત્ય વગેરે અનેકરૂપે એકાંતે માની બેઠા છે. પણ સંત એવા જ્ઞાની પુરુષો અનેકાંતવાદથી કહે છે કે તેવું આત્માનું સ્વરૂપ નથી. //પા મોહ વિષે મીઠાશ જગતને–લાડી, વાડી, ગાડી રે આ ભવમાં ભોગવવા ઇચ્છ, ઇચ્છે તેહ અગાડી રે. શ્રીમદ્ અર્થ - જગતવાસી જીવો આત્માને અન્યરૂપે માની, મોહમાં મીઠાશ હોવાથી ઘર્મ કરીને પણ લાડી, વાડી, ગાડી આદિને જ ઇચ્છે છે. આ ભવમાં ઘર્મના ફળ ઇન્દ્રિય સુખ ભોગવવા ઇચ્છે અને પરભવમાં પણ મને ઇન્દ્રિય સુખો મળે એ જ કામના બુદ્ધિથી ઘર્મક્રિયાના અનુષ્ઠાન કરે છે. આવા એ આશા છે ભૂતનો ભડકો, આશ તજો” ઉપદેશે રે, સંત-જનો ઉર આણી કરુણા, સમજુ જન શીખ લેશે રે.” શ્રીમદ્દ અર્થ - ભગવાનની ભક્તિ કરીને પણ ઇન્દ્રિય સુખ મેળવવાની આશા રાખે છે. એ ઇચ્છારૂપી ભૂતનો ભડકો એમને બાળી નાખશે અર્થાત્ એમનો અમૂલ્ય માનવદેહ નષ્ટ કરી દેશે. માટે સંત એવા જ્ઞાનીજનો હૃદયમાં કરુણા લાવી ઉપદેશ છે કે હે ભવ્યો! તમે ઇન્દ્રિય સુખની આશા તજી દ્યો. એ સુખ નથી પણ આ ભવમાં ત્રિવિઘતાપ આપનાર અને પરભવમાં પણ દુર્ગતિએ લઈ જનાર વસ્તુ છે. માટે ત્યાગવા યોગ્ય છે. એવી શિખામણને જે સમજુ ભાગ્યશાળી હશે તે જ ગ્રહણ કરશે; બીજા કરી શકશે નહીં. શા જિજ્ઞાસું કહે: “સત્ય વચન તમ, પણ જગ કેમ ન જાણે રે? હિતકારી પણ કટુ ઔષઘને માતા પાય પરાણે રે.” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ એવો આત્માર્થી કહે : તમારું કહેવું સત્ય છે. છતાં જગતવાસી જુવો તેને કેમ જાણતા નથી? જેમ હિતકારી ઔષધ ભલે કડવું હોય તો પણ માતા બાળકને પરાણે પાય છે. તેમ જગતના જીવોને સંતપુરુષોએ હિતકારી ઉપદેશ કટુ ઔષઘની જેમ પરાણે પણ પાવો જોઈએ. ટાા સત્યમતિ કહે : “ઘંઘા સમ સૌ ઘર્મ થયા કળિ-ભાવે રે મારું તે સારું' સૌ માને, સમ્યક જ્ઞાન અભાવે રે. શ્રીમદ્ અર્થ :- સત્યમતિ કહે : આ કળિકાળમાં તો કળિ એટલે પાપ ભાવનાથી સૌ ઘર્મ ઘંઘા સમાન બની ગયા છે. સર્વે “મારું તે સારું' એમ માને છે. સમ્યકજ્ઞાનના અભાવે અમે કહીએ છીએ તે જ સાચો માર્ગ છે એમ સૌ માની બેઠા છે. લા. પોતાનો કોઈ શિષ્ય કરે જો સંત-સમાગમ બીજે રે. તો કુંગુરુને તાવ ચઢે છે; સાચી-ખોટી ચીજે રે– શ્રીમદ્ અર્થ - પોતાનો કોઈ શિષ્ય બીજા સંતનો સમાગમ કરે તો કુગુરુને તાવ ચઢે છે. તે શિષ્યને સાચું
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy