SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૫ ૦ ૫ અર્થ :- શ્રીરામચંદ્રજી કહેવા લાગ્યા : આ કાર્યમાં કુશળ હનુમાન સમાન બીજો કોઈ દેખાતો નથી. તે પ્રભાવશાળી, લંકાનો માર્ગ જાણનાર અને બીજાના પ્રભાવમાં તણાય એમ નથી. શત્ર પ્રત્યે કેવું વર્તન કરવું જોઈએ તેની યથાર્થ નીતિ પણ એ જાણે છે, માટે વીર હનુમાન લંકામાં જઈને પહેલા વિભીષણને મળજે, મારા કહેજેઃ “અહીં આપ જ ઘર્મજ્ઞ, સુજ્ઞ, વિવેકી, Èરદર્શી, કુલ-કીર્તિ-રક્ષક, હિતચિંતક, વાત વિચારો તલસ્પર્શી : રાવણ સીતા-હરણ કરી અન્યાય અને અપકીર્તિ વરે, કલ્પકાળ તક કલંક કુળને લાગે તેવું કામ કરે. ૨૨ અર્થ :- વિભીષણને કહેજે કે આ લંકામાં તમે જ ઘર્મશ, સજ્જન પુરુષ. વિવેકી અને દરદર્શી હોવાથી અન્યાયપૂર્ણ કાર્યનું ભવિષ્યમાં શું ફળ આવશે તેના જાણનાર છો. કુળની કીર્તિ બનાવી રાખવાના તમે રક્ષક સમાન છો, બઘાના હિતચિંતક છો, માટે હું કહું તે વાતને જાણીને તેનો તલસ્પર્શી ઊંડો વિચાર કરો. તમારા મોટાભાઈ રાવણ સીતાનું હરણ કરીને અન્યાય અને અપકીર્તિને પોષણ આપે છે તથા કલ્પાન્તકાળ સુધી કુળને કલંક લાગે તેવું કામ કરે છે. /૨૨ાા રતિમોહિત રાવણ સમજાવી, સલાહ દ્યો સીતા તજવા, પાપ-કલંક-કલહનું કારણ તુર્ત ચહો નિર્મૂળ કરવા;' આમ વિભીષણ સામ વચનથી સત્ય વાત લે સ્વીકારી, તો સૌ શત્રુ શરણે આવ્યા, સીતા-મિલન પણ લે ઘારી.” ૨૩ અર્થ - વળી વિભીષણને કહેજે કે રતિમોહિત એટલે કામાસક્ત રાવણને સમજાવી સીતાને પાછી આપી દેવાની તમે સલાહ આપો. પાપનું કલંક વહોરવું તે ક્લેશનું કારણ છે માટે તેને નિર્મળ કરવાનો ઉપાય શીધ્ર ઇચ્છો. આમ શાંતિના વચનથી વિભીષણ જો સત્યવાતને સ્વીકારી લે તો સૌ શત્રુ શરણે આવ્યા અને સીતાનું મિલન પણ થઈ ગયું એમ સમજી લેવું. ૨૩ લઈ સંદેશો દૂત બની હનુમાન વિભીષણને મળિયા, સવિનય સંદેશો દઈ વદતા : “રામ અને લક્ષ્મણ બળિયા; કરોડ સાડા ત્રણ વિદ્યાઘર, અપાર ભૂમિગોચરી સેના, સજ્જ થઈને સાગરતીરે આવે ખબર સુણો તેના. ૨૪ અર્થ - શ્રીરામનો આવો સંદેશો લઈ દૂત બનીને હનુમાન લંકા જઈ વિભીષણને મળ્યા. વિનયપૂર્વક ઉપરોક્ત સંદેશો આપીને હનુમાન કહેવા લાગ્યા કે શ્રીરામ અને લક્ષ્મણ વર્તમાનમાં બળવાન પુરુષો છે. સાડા ત્રણ કરોડ વિદ્યાઘર અને અપાર ભૂમિગોચરોની સેના સજ્જ થઈને સમુદ્રના તીરે આવી રહી છે તેના ખબર સાંભળો. રજા સમજીને સીતા નહિ સોંપે તો કુલક્ષય કરનાર થશે, લંકાની લક્ષ્મી સહ સીતા, રાવણને હણી તે હરશે. સુજ્ઞ ગણીને રામચંદ્રજી આપ પ્રતિ અતિ પ્રેમ ઘરે;” સુણી વિભીષણ રાવણ પાસે દૂત સાથે જઈ વાત કરે : ૨૫
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy