________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
૫૦૩
મંદોદરી લંકા નગર ભણી ચાલી. ત્યારબાદ હનુમાને પોતાના વિદ્યાબળથી વનના રક્ષકોને અત્યંત નિદ્રા આપી. પછી હનુમાને પણ પ્લવગ નામની વિદ્યાથી પોતાનું બંદર જેવું રૂપ બનાવી તે સીતા સામે આવી વિનયપૂર્વક કહેવા લાગ્યો : હું શ્રી રામચંદ્રજીનો સેવક છું. આ તેમનો પત્ર છે તે લ્યો. તે લઈને સીતાએ તે ખોલી જોયો. ૧૩]
સર્વ શોક વીસરી ગઈ સીતા પત્ર વાંચી હર્ષિત થતી સ્નેહનજર કરી કર્યો. દૂતનેઃ “પિતા તુલ્ય ઉપકારમતિ, ğવિતદાન દીધું સંકટમાં, નથી બદલો કંઈ દઈ શકતી,” કષિ કળૅ કર ઘરી દઈ વદતો : 'રામચંદ્ર મુજ અધિપતિ- ૧૪
અર્થ :— તે પત્ર વાંચીને સીતા સર્વે શોકને વિસરી ગઈ; અને હર્ષિત થતી સ્નેહભરી નજરે તે દૂતને કહેવા લાગી કે તમે તો મારા પિતા તુલ્ય ઉપકારબુદ્ધિવાળા છો.
તમે મને આવા સંકટમાં જીવિતદાન આપ્યું છે. તેનો હું કંઈ બદલો આપી શકતી નથી. એવું સાંભળવાનું બંધ કરવા માટે પવનપુત્ર હનુમાન કાનો ઉપર હાથ ઘરીને કહેવા લાગ્યા કે શ્રી રામચંદ્રજી તો મારા અધિપતિ છે, અર્થાત્ મારા રાજા છે, સર્વોપરિ છે. ।।૧૪।
તેથી મુજ માતા સમ માનું, અન્ય કલ્પના અણઘટતી, આજે માતાજી, લઈ ચાલું એવી છે મુજમાં શક્તિ; પણ આજ્ઞા ની રામચંદ્રની, પોતે લડવા નીકળશે, રાવણ હર્ષી લંકાની લક્ષ્મી લઈ માતાજીને મળશે. ૧૫
અર્થ :— તેથી સીતાજી તમને હું મારા માતા સમાન માનું છું, બીજી કલ્પનાઓ આ વિષે કરવી તે
=
અટિત છે. આજે માતાજી, હું તમને અહીંથી લઈને જઈ શકું છું એવી શક્તિ મારામાં છે.
પણ શ્રીરામચંદ્રજીની મને એવી આજ્ઞા નથી. પોતે સ્વયં લડવા માટે આવશે. અને દુષ્ટ એવા રાવણને હણી, લંકાની લક્ષ્મી મેળવી, પછી માતાજી તમને મળશે. ।।૧૫।।
કરી પરાક્રમ વરી કીર્તિને ત્રણે ખંડના પતિ બનશે, માટે શોક તજી માતાજી, ભોજન લ્યો, સૌ શુભ થશે.” ઉદાસીનતા તર્જી ભોજન કરી સીતા દૂત વિદાય કરે, હનુમાન ઉતાવળથી ઊર્ડી રામચરણમાં શિર થશે. ૧૬
અર્થ :- શ્રીરામ પરાક્રમ કરીને ત્રણે લોકમાં કીર્તિને વી ત્રણે ખંડના અધિપતિ બનશે. માટે માતાજી શોક તજીને તમે આ ભોજન લ્યો. પ્રભુ કૃપાએ બધુ સારું થશે.
હવે ઉદાસીનતાને તજી ભોજન કરીને સીતાજીએ દૂતને વિદાય કર્યો. હનુમાને પણ ઉતાવળથી ઊડી આવી શ્રીરામના ચરણમાં પોતાનું વિનયપૂર્વક મસ્તક મૂકીને પ્રણામ કર્યા. ॥૧૬॥
પ્રસન્ન વદન નીરખી હનુમાનનું રામ પ્રમોદ સહિત પૂછે :“સતી સીતા મુજ પ્રાણપ્રિયા તેં દીઠી? ક્ષેમકુશળ તે છે?’” ઉત્તર દૂત કે અતિ વિસ્તારે, રઘુપતિમ્ન રંજન કરતો : “સ્વભાવથી અભિમાની રાવણ ચક્રરત્નનો મદ ઘરતો. ૧૭