SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨ ૪૯૩ પ્રિયા, પાલખીમાં બેસો, આ અશ્વ ઉપર હું આવું છું.” જાનકી પાલખીરૂપ વિમાને બેઠાં કે ચઢી જાય ઊંચું. ૩૧ અર્થ :- તેટલા સમયમાં તો રાવણ માયાવડે શ્રીરામનો વેષ ધારણ કરીને જાનકી અર્થાત્ સીતાજી પાસે જઈને કહેવા લાગ્યો કે હરણને તો નગરમાં આગળ મોકલી દીધું છે, અને હવે સંધ્યાકાળ થવાથી આપણને પણ નગરમાં જવાનો વખત થઈ ગયો છે. પ્રિયા! તમે પાલખીમાં બેસો. હું આ અશ્વ ઉપર સવાર થઈને આવું છું. જાનકી-સીતા માયાવડે બનાવેલ પાલખીરૂપ વિમાનમાં બેઠા કે તે ઊંચે આકાશમાં ચઢી ગયું. ૩૧ સતી-શિરોમણિ નાગણ સાથે રાવણ રમવા યત્ન કરે, પ્રગટ થઈ પુષ્કર વિમાને દુષ્ટ વચન આવાં ઊચરેઃ “ભય, લજ્જા ને રામ-પ્રેમ તળું, બન રાવણની પટરાણી, સુખ ભોગવ ત્રણ ખંડ ઘરાનું, વરી મુજને કરુણા આણી.”૩૨ અર્થ - સતીઓમાં શિરોમણિ સીતા સાથે રાવણ રમવા યત્ન કરે તે તો નાગણ સાથે રમવા જેવું છે. સીતારૂપ નાગણને પોતાના મૃત્યુ માટે જ તે લંકામાં લઈ આવ્યો. પછી પોતાનું વાસ્તવિક સ્વરૂપ પુષ્કર વિમાનમાં પ્રગટ કરીને આવા દુષ્ટ વચન સીતા પ્રત્યે કહેવા લાગ્યો : ભય, લજ્જા અને રામનો પ્રેમ તજી રાવણની પટરાણી બન. મારા પર કરુણા લાવીને મને વરી ત્રણ ખંડની પૃથ્વીનું સુખ ભોગવ. ૩રા. કર્ણફૂલ સમ શબ્દો સુણતાં સતી સીતા મૂર્શિત થાતી; ગગન-ગામિની વિદ્યા વિનશે, શીલવતી-સ્પર્શે ફૂઠી જાતી; તેથી વિદ્યાથરીઓ દ્વારા શીત ઉપચારો શીધ્ર કર્યા, થતાં સચેત સીતા ઘીરજ ઘર બોલે બોલો રોષભર્યા : ૩૩ અર્થ - આવા રાવણના કાનને ફૂલ સમાન શબ્દો સાંભળી સતી સીતા મૂર્શિત થઈ ગઈ. રાવણે વિચાર કર્યો કે જો આ શીલવતીનો સ્પર્શ થયો તો મારી આકાશગામિની વિદ્યા શીધ્ર નષ્ટ થઈ જશે અને વળી તે રૂઠી જશે. તેથી વિદ્યાઘરીઓ દ્વારા તેના શીધ્ર શીત ઉપચારો કર્યા. જેથી તે સચેત થઈને ઘીરજ ઘારણ કરી, રોષભર્યા શબ્દો રાવણ પ્રત્યે બોલવા લાગી. ૩૩ “અઘમામ અડતો નહિ મુજને, બોલ ન કોઈ બોલ હવે, પતિવ્રતાનો પ્રાણ શીલગુણ તૃણ સમ રામ વિના સૌ ભવે. તુચ્છ ગણી આ પ્રાણ તજું પણ શીલખંડન નહિ કદીય થશે, શાશ્વત મેરું સમ મુજ નિશ્ચય, સમજ; નહીં તો મરી જશે.” ૩૪ અર્થ – રે અઘમઘમ! મુજને અડતો નહીં. બોલવાનું બંધ કર. એક પણ બોલ હવે બોલ મા. પતિવ્રતાનો પ્રાણ તે શીલગુણ છે. આ ભવમાં રામ વિના મારે મન સૌ તૃણ સમાન છે. આ પ્રાણોને પણ તુચ્છ ગણીને તજી દઈશ પણ શીલખંડન કોઈકાળે નહીં કરું. શાશ્વત મેરુ સમાન આ મારો નિશ્ચય છે. તેને સમજ; નહીં તો તું મરી જઈશ. I[૩૪ના
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy