SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એટલે અપેક્ષાયુક્ત કથન પદ્ધતિ જ શ્રેષ્ઠ છે. તેથી વિપરીત માન્યતાઓને ટાળી સુખી થવા માટે તેની જ ઉપાસના કરો. IIકા પ્રસિદ્ધ એક દ્રષ્ટાંત કહું, લેજો વિચારમાં; રાજમંદિર પાસે છે હાથી મધ્ય બજારમાં. ૭ અર્થ - તે અપેક્ષાવાદને સમજવા માટે એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત કહું છું. તેને ધ્યાનથી વિચારમાં લેજો. રાજમંદિર પાસે બજારની મધ્યમાં એક હાથી ઊભો છે. શા. ચારે ભાગોળના લોકો કહે વાતો અનેક એ; પૂર્વ ભાગોળમાં બોલે, “હાથી પશ્ચિમ બાજુએ.”૮ અર્થ - ચારેય દિશાની ભાગોળમાં ઊભા રહેલા લોકો અનેક જુદી જુદી વાતો કરવા લાગ્યા. પૂર્વ દિશાની ભાગોળમાં ઊભેલ વ્યક્તિએ કહ્યું કે આ હાથી પશ્ચિમ દિશાએ ઊભો છે. ૮ાા લોકો પશ્ચિમના બોલે, “હાથી પૂર્વ ભણી ભલો,” ઉત્તરે વાત આ ચાલે, “દક્ષિણે હાથી સાંભળ્યો.” અર્થ :- પશ્ચિમ દિશામાં ઊભેલ વ્યક્તિ કહે કે આ હાથી પૂર્વ દિશામાં ઊભો છે. ઉત્તર દિશામાં આ વાત ચાલવા લાગી કે હાથી તો દક્ષિણ દિશામાં ઊભો છે. લા. દક્ષિણ ભણના લોકો દેખાડે, “હાથી ઉત્તરે'; વિરોથી વચનો સર્વે, સુણી રોષ ન કો ઘરે. ૧૦ અર્થ - દક્ષિણ દિશા ભણી ઊભેલા લોકો હાથીને ઉત્તર દિશામાં બતાવે છે. આ સર્વ પરસ્પર વિરોથી વચનો છે. છતાં જે અપેક્ષાવાદને જાણે છે તે આ બધું સાંભળીને મનમાં રોષ લાવતા નથી. કેમકે અપેક્ષાથી જોતાં આ બધું કથન સત્ય છે. II૧૦ના અપેક્ષા બોલનારાની સમજે સમજા જનો, તેનું નામ અનેકાંત, તળે આગ્રહ એકનો. ૧૧ અર્થ - જે સ્યાદવાદને જાણે છે એવા સમજાજનો બોલનારની અપેક્ષાને જાણે છે. તેનું જ નામ અનેકાન્તવાદ છે. જે એકાન્તના આગ્રહને તજે છે તેને તે સમજાય છે. |૧૧ાા બુદ્ધિમાં વાત બેઠી તો વાદવિવાદ ના રહે : પોતાના બાપને કોઈ કાકા શબ્દ ભલે કહે. ૧૨ અર્થ - અનેકાન્તની વાત જો બુદ્ધિમાં બેસી ગઈ તો કંઈ પણ વાદવિવાદ રહેતા નથી. પછી ભલેને કોઈ પોતાના પિતાને કાકા શબ્દથી બોલાવે. ||૧૨ાા. મામા, ભાણેજ, ભત્રીજા, પિતા, પિત્રાઈ, પુત્ર કે સગાઈ જોઈને બોલે, અનેકાંતિક સૂત્ર તે. ૧૩ અર્થ - મામા, ભાણેજ, ભત્રીજા, પિતા, પિતરાઈ કે આ મારો પુત્ર છે એમ જે કહે તે પોતપોતાની બીજા સાથેની સગાઈ જોઈને બોલે છે. તેમાં કંઈ ખોટું નથી. એ જ અનેકાંતિક સૂત્ર છે અર્થાત એ જ સ્યાદ્વાદ શૈલીયુક્ત કથન પદ્ધતિ છે. ૧૩ાા.
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy