SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જ્ઞાનની મોટી મોટી વાતો કરો કે ગમે તેટલી કાયક્લેશવાળી ક્રિયા કરો પણ હજી સુધી તેણે ગુણોના પિંડ એવા પરમકૃપાળનાથને ભાવભક્તિપૂર્વક દીઠા નથી, એમ જ્ઞાની પુરુષો કહે છે. “સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે.” (પૃ. ૩૭૬) I૪૯ાા સુદ્રષ્ટિથી દેખે રે સિદ્ધસ્વરૂપ -મણિ, ભોગ રોગ મનાયે રે તજે રાજ્ય તૃણ ગણી. મન ૫૦ અર્થ - સમ્યવ્રુષ્ટિ જો જીવની થાય તો સિદ્ધ ભગવંતનું પરમોત્કૃષ્ટ શુદ્ધ સ્વરૂપ તેને કૌસ્તુભમણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન જણાય. તથા સંસારના ભોગ તેને રોગ સમાન ભાસે. એવા જીવો રાજ્યને પણ તૃણ સમાન ગણીને તજી દે છે. પા. દેહ ભિન્ન જ ભાસે રે પારકી વેઠ ગણે, રહે નિત્ય ઉદાસીન રે મુખે સિદ્ધ-ગુણ ભણે. મન ૫૧ અર્થ - સમ્યવ્રુષ્ટિ મહાત્માને તો પોતાનો દેહ પણ પોતાના આત્મસ્વરૂપથી ભિન્ન ભાસે છે. જેથી ભોજન, સ્નાન આદિ દેહની ક્રિયા કરવી કે ઘરના કામકાજ કરવા તે તેમને પારકી વેઠ કરવા જેવાં લાગે છે. “જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી;” અનારસીદાસ તે તો હમેશાં ઉદાસીનભાવે જગતમાં નિર્લેપ રહે છે અને મુખથી હમેશાં સિદ્ધનો મુખ્યગુણ જે સહાજાત્મસ્વરૂપ છે તેને ભણ્યા કરે છે અર્થાત તેનો લક્ષ રહ્યાં કરે છે. પલા એવી સિદ્ધની ભક્તિ રે સિદ્ધિની સીડી ખરી, તેવા ભક્તના સંગે રે લહો સત્ય રંગ જરી. મન પર અર્થ - સહજાત્મસ્વરૂપને નિરંતર ભજવારૂપ જે સિદ્ધની ભક્તિ છે, તે જ સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાની સાચી સીડી અર્થાતુ નિસરણી છે. તેવા ભગવાનના સ્વરૂપને ભજવાવાળા ભક્તના સંગે તમે પણ જરા સાચા ઘર્મના રંગને પામો. “સાચો રંગ તે ઘર્મનો સાહેલડીયા, બીજો રંગ પતંગ રે ગુણવેલડિયા; ઘર્મ રંગ જીરણ નહીં સાહેલડીયા, દેહ તે જીરણ થાય રે ગુણવેલડિયા.”ાપરા સર્વોત્કૃષ્ટ શુદ્ધિનું કારણ ભગવાન વીતરાગ દ્વારા ઉપદિષ્ટ સ્યાદ્વાદયુક્ત સિદ્ધાંત છે. પ્રત્યેક વસ્તુ પોતાના ગુણોથી ઓળખાય છે. અનંત ગુણધર્મોથી યુક્ત વસ્તુના સ્વરૂપને સમજાવનારી અપેક્ષા સહિત કથન પદ્ધતિને સ્યાદ્વાદ, અપેક્ષાવાદ અથવા અનેકાન્તવાદ કહે છે. એ જૈનધર્મનો પ્રાણ છે. અનેકાન્તવાદથી યુક્ત વાર્તા પ્રમાણભૂત છે, સત્ય છે. તેથી વિપરીત કોઈ પણ વાતને એકાન્ત કહેવી તે મિથ્યા છે. આ પાઠમાં અનેકાન્તવાદની પ્રામાણિકતા એટલે સત્યતાને અનેક દ્રષ્ટાંતોથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. જે નીચે પ્રમાણે છે :
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy