SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ઘર્મધ્યાન પ્રયોગે રે અશુભ વિચારો ટળે, વર્ષે આત્મ-વિચારો રે અતીન્દ્રિય સુખ મળે. મન ૧૪ અર્થ :– ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ આદિ ધર્મધ્યાનનો પ્રયોગ કરવાથી આત્માના અશુભ વિચારો = ટળે છે અને શુભ વિચારો આવે છે. વળી તે આત્મ વિચારો વધતાં અંતરમાં દેહથી ભિન્ન એવો આત્મા છે તેનો ભેદ પડી જાય છે. અને તેના ફળસ્વરૂપે અતીન્દ્રિય એવું આત્માનું સુખ અનુભવમાં આવે છે. “વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પામે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ.’’ -સમયસાર નાટક ||૧૪|| થર્મધ્યાનમાં લેયા રે સદાયે શુક્લ રહે; આત્માર્થ જ સાથે રે કર્મ અનેક દહે. મન ૧૫ = અર્થ :– જ્યારે સમ્યક્દ્ગષ્ટિ મહાત્મા ધર્મધ્યાનમાં લીન હોય છે ત્યારે તેમની સદાય શુક્લ લેશ્યા રહે છે. ત્યાં સમ્યગ્દૃષ્ટિ જીવ આત્માર્થ જ સાથે છે અને અનેક પ્રકારના કર્મોને દહે છે અર્થાત્ કર્મોને બાળી નિર્જરા કરે છે. ।।૧૫।। વૈરાગ્ય-વિવેકે રે દેહાદિથી ભિન્ન ગણી, નીરખી નિજ શુદ્ધિ રે નિહાળે શિવ-મણી. મન૰૧૬ અર્થ :— તે સમ્યગ્દષ્ટિ જીવ વૈરાગ્ય અને વિવેક અર્થાત્ ભેદજ્ઞાનના બળે દેહાદિથી આત્માને ભિન્ન ભાવતાં ભાવતાં પોતાની વિશેષ વિશેષ આત્મશુદ્ધિને પામી મોક્ષરૂપી લક્ષ્મીને નિહાળે છે, અર્થાત્ મોક્ષના શાશ્વત સુખને પામે છે. ।।૧૬। ઉત્તમ ધર્મથ્યાને૨ે રહે અપ્રમત્તદશા, વધતા પરિણામે રે ટકે બે ઘડી સહસા. મન૦ ૧૭ અર્થ :– ઉત્તમ ધર્મધ્યાનમાં આવવાથી તે સમ્યગ્દષ્ટિ જીવ સાતમા ગુણસ્થાનકની અપ્રમત્તદશાને પામે છે. ત્યાં વધતા પરિણામે જો સહસા એટલે ઓચિંતુ તે ધર્મધ્યાનમાં બે ઘડી સુધી ટકી રહેવાયું તો ત્યાંથી આઠમા ગુણસ્થાનમાં જવાની શ્રેણિનો પ્રારંભ થાય છે. ।।૧૭।। તો શ્રેણિ મનોહર રે જીવ આરંભી શકે, શુક્લ ધ્યાનની શુદ્ધિ ૨ે નિષ્ક્રિયતાથી ટકે. મન૦ ૧૮ અર્થ :— આત્મકલ્યાણને આપનારી તે શ્રેણિ હોવાથી મનોહર છે. એવી શ્રેષ્ઠ શ્રેણીને તેવા દશાવાન પુરુષ આરંભી શકે છે, અર્થાત્ તેની શરૂઆત કરી શકે છે. ત્યાં શુક્લધ્યાનનો પ્રથમ ભેદ પૃથકત્વવિતર્કવીચાર નામનો હોય છે. તે શુક્લધ્યાનની વિશેષ શુદ્ધિ, ત્યાં નિષ્ક્રિયતા એટલે સ્થિરતા કરવાથી થાય છે. ।।૧૮।। ધ્યાનધારણા છૂટે રે ઇંદ્રિયાતીત સ્થિતિ, કેવળ અંતર્મુખ રે વિકલ્પરક્ષિત મતિ. મન ૧૯ અર્થ :– આ શુક્લધ્યાનના પ્રથમ ભેદમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનની અને ધારણાઓ બઘી છૂટી જઈને ઇન્દ્રિયથી અતીત એટલે જુદી સ્થિતિ થાય છે. ત્યાં આત્માનો ઉપયોગ કેવળ અંતર્મુખ બને છે અને મતિ વિકલ્પરહિત હોય છે, તે વડે જીવ મોહનીય કર્મનો ક્ષય કરે છે. ।।૧૯।
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy