________________
૩૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
તે પણ ગણી આરાઘના અતિ મંદ ભાવે જો ટકે, તો સાત સુરના, આઠ નરના ભવ કરી શિવ જઈ શકે.” પ્રભુવાણથી સમકિત પામ્યા સુર, નર, પશુ તે સ્થળે,
વ્રત લે પશું ને માનવી, મુનિમાર્ગમાં વિર નર ભળે. પર અર્થ - ભેદ રત્નત્રયને પણ આરાઘનાની કોટીમાં જ ગણેલ છે. જો મંદભાવે પણ તે આરાઘના ટકી રહે તો સાત ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના કરીને તે જીવ મોક્ષને પામી શકે છે.
શ્રી નેમિનાથ પ્રભુની આવી દિવ્ય વાણી સાંભળીને ઘણા દેવ, મનુષ્ય અને પશુઓ પણ તે સ્થળે સમકિતને પામ્યા. તેમાં પશુઓ અને માનવીઓએ શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા અને જે મનુષ્યો શૂરવીર હતા તેમણે તો મુનિઘર્મ અંગીકાર કરીને પોતાનું જીવન ઘન્ય બનાવી દીધું. પરના
(૩૦) શ્રી નેમિનાથ પ્રભુ
ભાગ – ૩ (હરિગીત)
* રાણા
શ્રી કૃષ્ણ વાસુદેવ સુંણી હર્ષ ઘરી મઘુરી ધ્વનિ, પૂછે વિનય કરી પૂર્વ ભવ નિજ ત્યાં કહે કરુણા-ઘણી : “છે હસ્તિપુર આ ભારતમાં ને શ્વેતવાહન શેઠ જ્યાં,
બંઘુમતી શેઠાણી-ખોળે શંખ પુત્ર સુહાય ત્યાં. ૧ અર્થ – શ્રી નેમિનાથ ભગવાનની મીઠી વાણી સાંભળીને શ્રી કૃષ્ણ વાસુદેવ ઘણા હર્ષિત થયા અને વિનયપૂર્વક પોતાના પૂર્વભવનું વૃત્તાંત પૂછવા લાગ્યા. તે વિષે કરુણા ઘણી ભગવાન નેમિનાથ કહેવા લાગ્યા કે :- આ ભરતક્ષેત્રમાં હસ્તિપુર નગરમાં ચેતવાહન નામનો શેઠ તથા બંઘુમતી નામની શેઠાણીના કુખે શંખ નામનો પુત્ર થયો. (તે આ ભવમાં તમારો ભાઈ બળરામ થયેલ છે.) I/૧ાા
નંદીશા રાણી અને નૃપ ગંગ હસ્તિપુરમાં, કો પૂર્વભવનો વૈર પડે સાતમો શિશુ ગર્ભમાં; નૃપને થઈ અણમાનીતી તેથી તજે શિશુ જન્મતાં,
પણ ઘાયમાતા રેવતી ઉછેરતી એકાન્તમાં. ૨ અર્થ - તે જ હસ્તિપુર નગરમાં ગંગ નામે રાજા અને નંદીશા નામે રાણી છે. કોઈ પૂર્વભવનો વૈરી સાતમા ગર્ભરૂપે તેમને કુખે આવવાથી તે રાજાને અણમાનીતી થઈ. જેથી માતાએ બાળકનો જન્મ થતાં જ તેને તજી દીઘો; પણ ઘાવમાતા રેવતી એકાન્તમાં તેને ઉછેરવા લાગી. (તેનું નામ ન પાડવાથી તે નિમિક કહેવાયો. તે આ તમારો જ જીવ છે એમ શ્રી કૃષ્ણને ભગવંતે કહ્યું.) રા.