________________
(૫) સાચું બ્રાહ્મણપણું
૩ ૧
અર્થ :- જે સાચું બ્રાહ્મણપણું ઘરાવે છે તે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ આદિ સર્વ પાપોના ત્યાગી હોય, રાગદ્વેષથી પાછા હઠવાના ક્રમમાં હોય, તથા અજ્ઞાનીની જેમ જે ઝઘડા કરે નહીં તેમજ બીજા અછતા દોષની કથની કરે નહીં. સા.
છિદ્રો શોધે ગુણો દેખી, તેવું પૈશુન્ય ના ઉરે,
હંસ શા ગુણગ્રાહી તે, કોઈના દોષ ના વદે. ૪ અર્થ - જે પરના ગુણો દેખી તેમાં છિદ્ર શોથી પૈશુન્ય એટલે તેની ચાડી ચુગલી કરતા નથી. તેમજ હંસ સમાન ગુણગ્રાહી હોવાથી કોઈના દોષ પણ કહેતા નથી. જેમ હંસ દૂઘ અને પાણી એક હોવા છતાં તેમાંથી દૂઘ દૂઘ ગ્રહણ કરી પાણીને છોડી દે છે. તેમ જ ગુણગ્રાહી છે તે બીજાના દોષ ભણી દ્રષ્ટિ ન કરતાં તેમાં જે ગુણ હોય તે ગ્રહણ કરી લે છે. જો
પારકી ના કરે નિન્દા, રતિ-અરતિ ના વહે,
જૂઠું બોલે ન માયાથી, અસત્ય મત ના ગ્રહે. ૫ અર્થ - જે પારકી એટલે બીજાની નિંદા કરતા નથી, રતિ-અરતિ એટલે ગમવા-અણગમવાના પ્રવાહમાં વહેતા નથી, માયાથી જૂઠું બોલતા નથી. તેમજ ખોટા મતની પકડ રાખતા નથી.
આત્મા છે” એમ જે જાણે, “નિત્ય છે એમ માનતો,
કર્તા છે? કર્મનો પોતે, “ભોક્તા છે? નિજ કર્મનો. ૬ અર્થ - જે પ્રથમ પદ ‘આત્મા છે' એમ જાણે, અને બીજું પદ “આત્મા નિત્ય છે' એમ માને છે. તેમજ ત્રીજું પદ “આત્મા કર્મનો કર્તા છે અને ચોથું પદ “આત્મા ભોક્તા છે' એમ પોતે જ પોતાના કર્મનો કર્તા ભોક્તા તે યથાર્થ જાણે અને માને છે. દા.
“મોક્ષ છે' એમ તે માને, “મોક્ષ-ઉપાય” સાથતો,
સ્થાનકો છ વિચારી આ, શ્રદ્ધા દુર્લભ ઘારતો. ૭ અર્થ - જે પાંચમું પદ “મોક્ષપદ' છે એમ માની, છઠું પદ જે “મોક્ષનો ઉપાય છે તેને સાધવા પ્રયત્નશીલ છે. એમ છ પદના સ્થાનકોને વિચારી જે દુર્લભ એવી આત્મશ્રદ્ધાને ઘારણ કરેલ છે, //શા.
દર્શનો સર્વ () સંક્ષેપે આ ષ સ્થાનકથી ગ્રહે,
સાચો બ્રાહ્મણ તે જાણો, શ્રદ્ધા સવોપરી લહે. ૮ અર્થ – આ ષટ એટલે છ પદ સ્થાનકોથી જે છએ દર્શન એટલે વેદાંતાદિ સર્વ ધર્મોને સંક્ષેપથી સ્વાદુવાદ વડે સમજે તેને સાચો બ્રાહ્મણ જાણવો; અને તે જ સર્વોપરિ સાચી શ્રદ્ધાને ઘારણ કરે છે. Iટા
યત્નાથી વર્તવું તે ને સમિતિ-ગુણિ તે ઘરે,
જ્ઞાન, દર્શન, ચારિત્ર, આત્માર્થે વળી આદરે. ૯ અર્થ - જે યત્નાપૂર્વક વર્તે છે. તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુતિને ઘારણ કરે છે તથા પોતાના આત્માના અર્થે જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ઘર્મને આચરે છે. Iો.
સદા સંયમમાં યત્ન કરે, ટાળી કષાયને, દુષ્ટ પ્રત્યે ય ક્રોથી ના, માની ના તપથી બને. ૧૦