SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) નિગ્રંથ ગુરુ ગીત ૧ ૫ અર્થ - શ્રી અરિહંત ભગવંતનું પરમાત્મપદ પણ સદગુરુના સમાગમથી જ સમજાય એમ છે. “સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ” -શ્રીમદ્ રાજચંદ્ર. જેમ દૂરબીનથી દૂર રહેલ હિમાલય પર્વત કે ગંગાનદીને પણ જોઈ શકાય તેમ શ્રી સદગુરુ ભગવંતે અનુભવેલ અરિહંત પદનું ભાન તેમના દ્વારા થઈ શકે છે. શાસ્ત્રો છે તે પરમાત્મપદને પામવા માટેની વાતોને જેમ નકશો દોરેલ હોય તેમ ચિતરીને બતાવે છે. પણ તે વાતો ગુરુગમ એટલે ગુરુએ આપેલી સમજ વિના તેની વાસ્તવિક બીના એટલે હકીકત માત્ર વિચાર કરવાથી હૃદયંગમ બની શકે નહીં; અર્થાત્ વાસ્તવિક રીતે તેનો ભાવ હૃદયમાં ભાસે નહીં. તે વિષે પત્રાંક.....માં જણાવે છે કે - “શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે પણ મર્મ તો પુરુષના અંતર્માત્મામાં રહ્યો છે.” -શ્રીમદ્ રાજચંદ્ર માટે નિગ્રંથ ગુરુ વિના અરિહંત ભગવંતનું પરમાત્મપદ પામી શકાય નહીં એમ સમજાવ્યું. કા શાસ્ત્રો ઘણાં વળી વાંચતા વિચારતાં ફળ આ મળે, આજ્ઞા ઉપાસ્ય સત્પરુષની દુઃખ આત્યંતિક ટળે; સહજાત્મફૅપ સન્દુરુષ વિના જાય છૅવ જાણ્યો નહીં, એવી અચળ શ્રદ્ધા થવી તે વાત ગુરુયોગે રહી. ૭ અર્થ - ઘણા શાસ્ત્રોને વાંચતાં કે વિચારતાં પણ આ જ તાત્પર્ય નીકળે છે કે સત્પરુષની આજ્ઞાને ઉપાસવાથી આત્યંતિક એટલે સંપૂર્ણપણે દુઃખની નિવૃત્તિ થઈ શકે એમ છે. સહજાત્મસ્વરૂપમાં સ્થિતિ છે જેની એવા સત્પરુષ વિના જીવ જાણ્યો જાય એમ નથી. “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર એવા સહજાત્મરૂપી આત્મામાં રમનારા સપુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા થવી એ વાત પણ સદ્ગુરુના યોગે જ સંભવે છે. આવા હું દ્રમક સમ હીંનપુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ્ રાજચંદ્ર તણી કૃપાનજરે પડ્યો; ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામે મળ્યા, મુજ દ્રષ્ટિરોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. ૮ હવે પૂ.શ્રી બ્રહ્મચારીજી આ ગાથામાં પોતાનો અનુભવ જણાવે છે - અર્થ - ‘ઉપમિતિ ભવ પ્રપંચ' નામના ગ્રંથમાં કહ્યું તેમ હીનપુણ્ય એવા દ્રમક જેવો હું પણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના મુખ્ય દ્વાર પર આવી ચઢયો અને સુસ્થિત મહારાજા જેવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની કૃપાનજરે પડયો. ત્યાં રાયણ તળે બિરાજમાન સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામો મળ્યા. તથા મારો દ્રષ્ટિરોગ એટલે અનાદિનો આત્મભ્રાન્તિરૂપ રોગ મટાડવા પોતે જાતે પરિશ્રમમાં ભળ્યા; અર્થાત્ સ્વયં પ્રભુશ્રીજીએ તે જ કાલી ચૌદસના રવિવારે પ્રથમ મુલાકાતના દિવસે, મને મંત્ર દીક્ષા આપી કતાર્થ કર્યો. 'ટા દર્શન અલૌકિક આપનું સ્થિર હે!પ્રભુ મુજ ઉર વસો, વિતરાગતાફૅપ વદન તુજ મુજ નજરથી દંર ના ખસો; એ આત્મદ્રષ્ટિ આપની મુજ મન વિષે ચોટી રહો, શ્રુત-ભાનરૂપી કાનનું નહિ ભાન ભુલાશો, અહો!૯
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy