SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ત્રસ, સ્થાવર-સંસારી જીવો બે મુખ્ય ભેદથીઃ ભયથી ત્રાસ પામીને ચાલે તે ત્રસ ખેદથી; ૭ અર્થ :- સંસારી જીવોના મુખ્ય બે ભેદ તે ત્રસ અને સ્થાવર છે. ભયથી ત્રાસ પામીને જે જીવો ખેદથી ચાલવા માંડે તે ત્રસકાયના જીવો છે. ||શા સ્થળાંતરે ન શક્તિમાનું સ્થાવરો દુઃસ્થિતિ-જડા. સ્ત્રી-નૃ-નપુંસકો વેદે જીવો ત્રિવિઘ સર્વદા. ૮ અર્થ:- સ્થળાંતર કરવામાં જે જીવો શક્તિમાન નથી તે સ્થાવર જીવો છે. તે જાણે જડ જેવા થઈને દુઃખી સ્થિતિમાં પડ્યા રહે છે. સ્ત્રી, નૃ એટલે પુરુષ અને નપુંસક એમ જીવોના ત્રણ વેદ છે. તે પ્રકારે જોતાં જગતના સર્વ જીવો એ ત્રણેય વેદમાં સમાઈ જાય છે. દા. એકેન્દ્રી વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય બીજા ત્રણે. વિકસેન્દ્રિયને ઇન્દ્રી ચાર, બે ત્રણ ગણે. ૯ અર્થ - બીજી રીતે જોતાં એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ ત્રણ પ્રકારમાં સર્વ જગતના જીવોનો સમાવેશ થાય છે. વિકલેન્દ્રિય જીવોને વઘારેમાં વધારે ચાર ઇન્દ્રિયો હોય છે. કોઈને સ્પર્શ અને મુખ એમ બે ઇન્દ્રિય અને કોઈને સ્પર્શ, મુખ અને નાક એમ ત્રણ ઇન્દ્રિય અને કોઈને સ્પર્શ, મુખ, નાક અને આંખ એમ ચાર ઇન્દ્રિયો હોય છે. લા. દેવો, નારક, તિર્યંચો, મનુષ્યો ભેદ ચાર એ ગતિભેદે સુખી-દુઃખી - પશુતા મોક્ષ-કારણે. ૧૦ અર્થ - દેવ, નારકી, તિર્યંચ, અને મનુષ્ય એમ ગતિ ભેદથી પણ જીવો ચાર પ્રકારના જણાય છે. તેમાં દેવો ભૌતિક રીતે સુખી છે. નારકી જીવો સદા દુઃખી છે. તિર્યંચ જીવોમાં પશુતા એટલે વિવેક બુદ્ધિ નથી, તેમને હિતાહિતનું ભાન નથી. જ્યારે મનુષ્યો મોક્ષ પ્રાપ્તિ પણ કરી શકે છે. મનુષ્યગતિ સિવાય બીજી કોઈ ગતિથી જીવનો મોક્ષ થતો નથી. /૧૦ળા માત્ર સ્પર્શેન્દ્રિય યુક્ત તે એકેન્દ્રિય જીવ છે; દિ-ત્રિ-ચો-પંચ ઇન્દ્રિય અકેકી અઘિકી ક્રમે- ૧૧ અર્થ - માત્ર જેને સ્પર્શ ઇન્દ્રિય જ છે તે એકેન્દ્રિય જીવો છે. તે જીવો બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિય ક્રમપૂર્વક પોતાના કર્મ પ્રમાણે અઘિકી પ્રાપ્ત કરે છે. I/૧૧ના જિહા, ઘાણ, નયનો ને કર્ણ ઇન્દ્રિય પામતા, એવા પાંચ પ્રકારે જો સંસારી જીવ સામટા. ૧૨ અર્થ - એક ઇન્દ્રિયવાળા જીવોને માત્ર સ્પર્શ ઇન્દ્રિય એટલે શરીર હોય છે. બે ઇન્દ્રિયવાળા જીવોને જિલ્લા એટલે જીભ પ્રાપ્ત થાય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને વઘારેમાં ધ્રાણ એટલે નાક, ચાર ઇન્દ્રિયવાળા જીવોને નયન એટલે આંખ અને પાંચ ઇન્દ્રિયવાળા જીવોને કાનની પ્રાપ્તિ હોય છે. એમ પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રકારથી સંસારના સામટા એટલે સર્વ જીવો તેમાં સમાઈ જાય છે. [૧૨ના
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy