SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ ૫૧૮ રામની પાસે લાવીને નાખે છે. કે તે જોઈને રામનું હૃદય મોહથી મૂંઝાવા લાગ્યું ત્યારે વિભીષણે તુરત કહ્યું કે આ બધું રાવણનું માયા કપટ છે. સતી સીતાને આપ વિના બીજો કોઈ માતાનો જણ્યો નથી કે તેને સ્પર્શી શકે. ।।૧૩। રામ સચેત થઈ સંહારે રાવણ-સેના રહી-સહી, યુદ્ધ તજી નાઠો રાવણ પણ માયાયુદ્ધે બુદ્ધિ લડ઼ી; સિંહવાહિની-વિદ્યારથ લઈ રામ પડ્યા રાવણ કેડે, ઇન્દ્રજિત પ્રતિ લડવા લક્ષ્મણ વિદ્યાબળથી ગગન ઊડે. ૧૪ અર્થ :— વિભીષણની વાત સાંભળી શ્રીરામ ફરીથી સચેત થઈને રહી-સહી રાવણની સેનાનો સંહાર કરવા લાગ્યા. ત્યારે રાવણ યુદ્ધ તજીને નાઠો. પણ હવે તેની બુદ્ધિમાં માયામય યુદ્ધ કરવાની ઇચ્છા થવાથી આકાશમાં જઈ પહોંચ્યો, ત્યારે સિંહવાહિની વિદ્યાવડે આકાશગામી સિંહરૂપ રથ ઉપર ચઢીને શ્રીરામ રાવણની પાછળ પડ્યા અને ઇન્દ્રજિત પ્રત્યે લડવા માટે લક્ષ્મણ ગરૂડવાહિની વિદ્યાના બળે ગરૂડ ઉપર ચડીને આકાશમાં ઉડવા લાગ્યા. ||૧૪|| કુંભકર્ણ સહ સુગ્રીવ ને હનુમાન લડે રવિકીર્તિ પ્રતિ, ઇન્દ્રકેતુ સાથે અંગદ, ખર-દૂષણ નીલને જામે અતિ, રામપ્રતાપે રાવણ હતો. નીરખી ઇન્દ્રજિત ઝટ આવે, રામચંદ્ર ઝટ શક્તિ-પ્રહારે ઇન્દ્રજિતને પટકાવે. ૧૫ અર્થ : • કુંભકર્ણ સાથે સુગ્રીવ, હનુમાન લડે સેનાપતિ રવિકીર્તિ સાથે, ઇન્દ્રકેતુ સાથે અંગદ અને ખર-દૂષણ સાથે નીલ વિદ્યાઘરને લડાઈ અતિ જાની. રામના પ્રતાપે રાવણને પાછો હઠતો જોઈ ઇન્દ્રજિત ઝટ ત્યાં આવ્યો કે શ્રી રામચંદ્રે શક્તિવડે પ્રહાર કરીને ઇન્દ્રજિતને ઝટ પાડી દીઘો. ૧૫ શસ્ત્ર લઈ રાવણ દોડ્યો ત્યાં વચમા લક્ષ્મણ ઘૂસી ગયા, શરપિંજરમાં પૂરે રાવળ, વિદ્યાબળથી મુક્ત થયા. તેથી રાવણ લક્ષ્મણ હણવા ચક્ર ચલાવે ક્રોથ કરી, પ્રદક્ષિણા દઈ લક્ષ્મણના દક્ષિણ કર પર તે રહ્યું ઠરી. ૧૬ અર્થ :— :– ત્યાં શસ્ત્ર લઈને રાવણ શ્રીરામને હાવા દોડ્યો કે વચમા શીઘ્ર લક્ષ્મણ ઘૂસી ગયા. તે સમયે માયામય હાથી ઉપર ચઢીને ઉપરાઉપરી બાણવર્ષા કરીને રાવણે લક્ષ્મણને શરપિંજરમાં પૂરી દીધા. પણ બંધવિમોચની નામની વિદ્યાના બળે તે શપિંજનરને તોડી લક્ષ્મણ બહાર નીકળી ગયા. આ જોઈ રાવણ ઘણો ક્રોધિત થયો અને લક્ષ્મણને હણવા માટે ચક્રને આદેશ આપ્યો. તે ચક્ર લક્ષ્મણની પ્રદક્ષિણા દઈને તેમના જમણા હાથ ઉપર આવીને ઊભું રહી ગયું. ।।૧૬।। રાવણ-મસ્તક ચક્ર વડે, તેથી મરી નરકે જ પડે. વિજયશંખ પૂરી શત્રુને અભયદાન લક્ષ્મણ દેતા, ભ્રમર સમા રાવણના મંત્રી રામચરણજસુખ લેતા. ૧૭ અર્થ :— પરાક્રમની મૂર્તિ એવા લક્ષ્મણે તે જ ચક્રવડે ત્રણ ખંડના અધિપતિ રાવણનું મસ્તક છેદી પરાક્રમમૂર્તિ લક્ષ્મણ છેદે પાપે નરક ગતિ બાંધેલી
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy