SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) સાચું બ્રાહ્મણપણું ૩ ૧ = અર્થ :— જે સાચું બ્રાહ્મણપણું ધરાવે છે તે હિંસા, જાઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ આદિ સર્વ પાપોના ત્યાગી હોય, રાગદ્વેષથી પાછા હઠવાના ક્રમમાં હોય, તથા અજ્ઞાનીની જેમ જે ઝઘડા કરે નહીં તેમજ બીજા અર્થના દોષની કથની કરે નહીં. છિદ્રો શોધે ગુણો દેખી, તેવું પૅશુન્ય ના કરે, હંસ શા ગુણગ્રાહી તે, કોઈના દોષ ના વઢે, ૪ અર્થ :— જે ૫૨ના ગુણો દેખી તેમાં છિદ્ર શોઘી પૈશુન્ય એટલે તેની ચાડી ચુગલી કરતા નથી. તેમજ હંસ સમાન ગુણગ્રાહી હોવાથી કોઈના દોષ પણ કહેતા નથી. જેમ હંસ દૂધ અને પાણી એક હોવા છતાં તેમાંથી દૂધ દૂધ ગ્રહણ કરી પાણીને છોડી દે છે. તેમ જે ગુણગ્રાહી છે તે બીજાનાં દોષ ભણી દૃષ્ટિ ન કરતાં તેમાં જે ગુણ હોય તે ગ્રહણ કરી લે છે. ।।૪। પારકી ના કરે નિન્દા, રતિ-અતિ ના વહે, જૂઠ્ઠું બોલે ન માયાથી, અસત્ય મત ના ગ્રહે. ૫ અર્થ :— જે પારકી એટલે બીજાની નિંદા કરતા નથી, રિત-અરિત એટલે ગમવા-અણગમવાના પ્રવાહમાં વહેતા નથી, માયાથી જૂઠું બોલતા નથી. તેમજ ખોટા મતની પકડ રાખતા નથી. ‘આત્મા છે’ એમ જે જાણે, ‘નિત્ય છે’ એમ માનતો, ‘કર્તા છે’ કર્મનો પોતે, ‘ભોક્તા છે’નિજ કર્મનો. ૬ અર્થ :— જે પ્રથમ પદ ‘આત્મા છે’ એમ જાણે, અને બીજું પદ ‘આત્મા નિત્ય છે’ એમ માને છે, તેમજ ત્રીજું પદ ‘આત્મા કર્મનો કર્તા છે' અને ચોથું પદ ‘આત્મા ભોક્તા છે” એમ પોતે જ પોતાના કર્મનો કર્તા ભોક્તા તે યથાર્થ જાણે અને માને છે. તો ‘મોક્ષ છે’ એમ તે માને, ‘મોક્ષ-ઉપાય’ સાઘતો, સ્થાનકો છ વિચારી આ, શ્રદ્ધા દુર્લભ ધારતો. ૭ અર્થ :— જે પાંચમું પદ “મોક્ષપદ” છે એમ માની, છઠ્ઠું પદ જે ‘મોક્ષનો ઉપાય છે' તેને સાઘવા પ્રયત્નશીલ છે. એમ છ પદના સ્થાનકોને વિચારી જે દુર્લભ એવી આત્મશ્રદ્ધાને ધારણ કરેલ છે. ના દર્શનો સર્વ (ષટ્) સંક્ષેપે આ ષટ્ સ્થાનકથી ગ્રહે, સાચો બ્રાહ્મણ તે જાણો, શ્રદ્ધા સર્વોપરી લહે. ૮ અર્થ :— આ ષટ એટલે છ પદ સ્થાનકોથી જે છએ દર્શન એટલે વેદાંતાદિ સર્વ ધર્મોને સંક્ષેપથી સ્યાદ્વાદ વડે સમજે તેને સાચો બ્રાહ્મણ જાણવો; અને તે જ સર્વોપરિ સાચી શ્રદ્ધાને ધારણ કરે છે. ટા યત્નાથી વર્તવું તે ને સમિતિ-ગુપ્તિ તે ઘરે, જ જ્ઞાન, દર્શન, ચારિત્ર, આત્માર્થે વર્ષી આદરે. ૯ અર્થ :– જે યત્નાપૂર્વક વર્તે છે. તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરે છે તથા પોતાના = આત્માના અર્થે જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મને આચરે છે. ।।૯।। સદા સંયમમાં યત્ન કરે, ટાળી કષાયને, દુષ્ટ પ્રત્યે ય ક્રોથી ના, માની ના તપથી બને. ૧૦
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy