________________
४४०
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
દેહાદિ સંયોગમાં ભેદજ્ઞાની ઉદાસી,
ઉર વૈરાગ્ય જળે ઝીલે સદા આત્મ-ઉપાસી. રાજ. ૧૫ અર્થ - જેને ભેદજ્ઞાન થયું છે એવા જ્ઞાનીપુરુષો દેહ, ઘન, કુટુંબાદિના સંયોગમાં સદા ઉદાસ રહે છે. તેમનું હૃદય વૈરાગ્ય જળમાં ઝીલે છે અને જે સદા આત્માની ઉપાસનામાં સંલગ્ન રહે છે. ઉપરા
સ્વ-પર-આત્મહિતાર્થનું આત્મ-લક્ષ્ય જ બોલે,
શબ્દોચ્ચાર થયા છતાં ગણ મૌનને તોલે. રાજ. ૧૬ અર્થ :- જ્ઞાની પુરુષો સ્વ-પરના આત્મહિતને અર્થે આત્માના લક્ષપૂર્વક જ બોલે. તેથી તેમના શબ્દોચ્ચાર થયા છતાં તેઓ મૌનને તોલે આવે છે અર્થાત્ તેમને મૌન જ છે એમ તું જાણ. II૧૬ાા.
વર્ષો સાડા બાર જે વીર મૌન રહ્યા તે
શબ્દ વૃથા નહિ ઉચ્ચરે, કર્મભાવ ગયા છે. રાજ. ૧૭ અર્થ :- સાડા બાર વર્ષો સુધી પ્રભુ મહાવીર મૌન રહ્યા. પરમાર્થ પ્રયોજન સિવાય વૃથા શબ્દ જેઓ ઉચ્ચારતા નથી. કારણ કે જેના રાગદ્વેષ અજ્ઞાનરૂપ કર્મ ભાવ નાશ પામ્યા છે. ||૧ળા
અહંભાવ નહિ ઉદયે રહ્યા સાક્ષી-ભાવે,
પુદગલમય શબ્દો વિષે નહિ મમતા લાવે. રાજ. ૧૮ અર્થ - જેને અહંભાવ મમત્વભાવ નથી. જે માત્ર ઉદયને આધીન સાક્ષીભાવે રહેલા છે તથા પુદગલમય શબ્દો બોલવામાં જેને મોહ નથી, એવા ભગવાન તો માત્ર મૌનને જ આરાઘે છે. ૧૮.
બોલે પણ નહિ બોલતા કેમે ન બંઘાતા,
આહાર અર્થે જાય તે ખાય તોય ન ખાતા. રાજ. ૧૯ અર્થ – પ્રભુ બોલે તો પણ બોલતા નથી. કેમકે બોલવાનો ભાવ નથી તેથી તે કર્મોથી કેમ બંધાતા નથી. પ.પૂ.પ્રભુશ્રીજીએ એકવાર કલાક સુધી બોઘ આપ્યો અને વાતમાં કહ્યું કે અમે આજે બોલ્યા નથી. મુમુક્ષુ કહે પ્રભુ આપ બોલ્યા છો. તો પ્રભુશ્રી કહે અમે નથી બોલ્યા. ફરી મુમુક્ષુ કહે પ્રભુ આપ બોલ્યા છો. ત્યારે જવાબમાં ફરી પ્રભુશ્રીજીએ કહ્યું : શું અમે જૂઠું બોલતા હોઈશું?
“બોલે પણ નહીં બોલતા, ચાલે તોય આચાલ;
સ્થિર આત્મસ્થિતપ્રજ્ઞ તે, જુએ ન રાખે ખ્યાલ.” -ઇબ્દોપદેશ મુનિ આહાર માટે ગોચરી લેવા જાય, આહાર લાવી ખાય તો પણ તે ખાતા નથી. કેમકે તેમને ખાવાનો ભાવ નથી. માત્ર કર્માધીન શરીરને ટકાવવા પૂરતી તેમની પ્રવૃત્તિ થઈ રહી છે. તે તો માત્ર તેના સાક્ષી છે.
સોમ અને સુરનું દ્રષ્ટાંત – સોમ અને સુર બેય રાજ પુત્રો હતા. સોમે દીક્ષા લીધી. સુર રાજા થયો. એકવાર સોમ મુનિ વિહાર કરતા તે જ ગામમાં પધાર્યા. નદીની પેલી પાર નિવાસ હતો. રાજા વગેરે સર્વ દર્શન કરી આવ્યા. રાત્રે નદીમાં પૂર આવી ગયું. બીજે દિવસે રાણીઓને ફરી દર્શન કરવાના ભાવ થતાં સૂર રાજાએ કહ્યું કે જાઓ નદીદેવીને કહેજો કે સૂર રાજા બ્રહ્મચારી હોય તો નદી દેવી માર્ગ આપો. તેમ કહેવાથી નદીએ માર્ગ આપ્યો. પછી ત્યાં બગીચામાં રસોઈ બનાવી મુનિને આહારદાન આપી જમાડ્યા. પછી મુનિને પૂછ્યું રાજાની અમે આટલી રાણીઓ છતાં રાજા બ્રહ્મચારી કેવી રીતે? મુનિ કહે: