SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) મૌન (૩૮) મૌન (ચંદ્રબાહુ જિન સેવના ભવનાશિની તે—એ રાગ) * રાજચંદ્ર ગુરુ-વંદના, વંધ-વંદક-ભાવ; ૫રમાર્થે પરમાત્મમાં એકતા, મૌન સાવ. રાજ૦ ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતને હું વંધ-વંદભાવે વંદના કરું છું. પરમકૃપાળુદેવ તે વંથ એટલે વંદન કરવા લાયક છે. અને હું તેમને વંદન કરવા લાયક છું. માટે ભાવપૂર્વક તેમના ચરણકમળમાં મારા આત્માના હિતને અર્થે પ્રણામ કરું છું. પરમાર્થે એટલે નિશ્ચયનયથી જોતાં પરમકૃપાળુદેવની પરમાત્મસ્વરૂપમાં એકતા થઈ છે. જેથી સાવ મૌનપણાને ભજે છે, અર્થાત્ જેને બોલવાની ઇચ્છા નથી. માત્ર ઉદયાધીન વચન પ્રવૃત્તિ થાય છે. બોલવા માત્રની જેને ઇચ્છા નથી માટે તે મૌનપણું છે. ।।૧।। જાણે જે જગતત્ત્વને, મુનિ તે જ મહાન, મુનિપણું તે મૌન છે, કહે શ્રી ભગવાન. રાજુ ૨ ૪૩૭ અર્થ :— જે જગતમાં રહેલા છ દ્રવ્ય કે સાત તત્ત્વને યથાર્થ જાણે છે તે જ મહાન મુનિ છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું' એ નિગ્રંથ પ્રવચન અનુસાર ત્રણે લોક જેનો વિષય છે એવા આત્માને જેણે જાણ્યો તે જ સાચા મુનિ છે. મુનિપણું એ મૌનપણું છે, અર્થાત્ મુનિઓ સ્વભાવમાં રમનારા હોવાથી વિભાવભાવથી મૌન છે. આત્માર્થના પ્રયોજન વગર બોલતા નથી, એમ શ્રી તીર્થંકર ભગવંત કહે છે. ।।૨। “સમક્તિ તે મુર્તિપણું, મૌન તે સમકિત,' આચારાંગ વિષે કહ્યું; વીરવચન પ્રસિદ્ધ. રાજ૦ ૩ અર્થ :– જ્યાં સમકિત છે ત્યાં મુનિપણું છે, અથવા જ્યાં સમકિત છે ત્યાં જ ખરું મૌનપણું છે, કેમકે અંતરથી તેને કંઈ પણ બોલવાનો ભાવ નથી. આચારાંગ સૂત્રમાં આ વાત શ્રી મહાવીર ભગવાને જણાવી છે; જે જગત પ્રસિદ્ધ છે. "जं सम्मति पासहा तं मोणंति पासहा નં મોળંતિ પાસહા તું સમ્મતિ પાસહા.'' આચારાંગ સૂત્ર અર્થ :— જે સમતિને ઉપાસે છે તે મુનિપણાને ઉપાસે છે અને જે મુનિપણાની ઉપાસના કરે છે તે સમતિને ઉપાસે છે. ગા શિથિલ, ધૈર્યરતિ જે નિર્બળ મનવાળા, વિષયાસક્ત, પ્રમાદી ને ઘર-મમતાવાળા. રાજ ૪ - અર્થ :— જે શિથિલાચારી છે, જેનામાં ધૈર્યતા ગુણ નથી પણ ઉતાવળે વિચાર વગર કામ કરનારા છે, જેનું મનોબળ નિર્બળ છે, જે વિષયાસક્ત, પ્રમાદી અને ઘરમાં ઘણી મમતા રાખવાવાળા છે તે જીવો કેવી રીતે મૌનવ્રત પાળી શકે? ।।૪।।
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy