________________
(૪) દયાની ૫૨મ ધર્મતા
ચિત્તભૂમિમાં રોપજો દાવેલ સુખમૂલ, વિનથવારિથી સિંચતા ગુરુભક્તિરૂપ ફૂલ, ૪૫
અર્થ :— । ભવ્યો! તમારી ચિત્તરૂપી ભૂમિમાં સુખના મુલરૂપ એવી દયાની વેલને રોપજો. તે દયાવેલને વિનયરૂપી વારિ એટલે પાણીથી સિંચન કરતાં તેના ઉપર ગુરુ પ્રત્યે ભક્તિભાવ પ્રગટવારૂપ ફૂલ ઊગી નીકળશે. ૫૪૫૫૫
અભેદ ભાવે ભક્તિનું ફળ આવે નિર્વાણ, તેથી સુખ અનંતનું મૂળ છે દયા, પ્રમાણ. ૪૬
અર્થ – તે ભક્તિ જો અભેદભાવે થઈ પરાભક્તિનું રૂપ લેશે તો તેનું ફળ અવશ્ય નિર્વાન્ન એટલે મોક્ષ આવશે. તેથી અનંતસુખનું મૂળ એ દયાથર્ય છે, એમ તું પ્રમાળભૂત માન. ॥૪॥ ગણ સૌ પ્રાણી આત્મવત્ મૈત્રીભાવના ભાવ;
યથાશક્તિ ઉપકાર કર, દયા દિલમાં લાવ. ૪૭
૨૯
અર્થ = દયાભાવને દિલમાં લાવી સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન જાણ, સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવના ભાવ અને યથાશક્તિ સર્વ જીવોનો ઉપકાર કરવામાં પ્રવૃત્ત ધા. ૦૪૭ના અપકારી-અપરાર્થીનું બૂરું ન ચિંતવ કાંય;
ભલું, ભૂંડું કરનારનું ચિંતવનું મનમાંય. ૪૮
અર્થ ::– તારો અપકાર કરનાર એવા અપરાધીનું પણ કાંઈ બૂરું ન ચિંતવ. પણ તેથી વિપરીત તારું ભૂંડુ કરનારનું પણ તારા મનમાં ભલું જ ચિંતવ. ૪૮॥
દ્વેષ ન કર, દાખવ નહીં વર્તન બેપરવાઈ,
કર્મરોગ તેને પીઠે, સેવાલાયક' ભાઈ. ૪૯
અર્થ :– તારું ભૂંડું કરનાર પ્રત્યે દ્વેષ ન કર કે તેના પ્રત્યે તારુ બેપરવાઈવાળું વર્તન પણ દાખવ નહીં. કારણ તે બિચારાને કર્મરોગ પીડી રહ્યો છે. માટે હે ભાઈ! તે સેવાને લાયક છે અર્થાત્ દયા કરવાને લાયક છે; પણ તે દ્વેષ કરવાને યોગ્ય નથી. ૪૯ના
સુદયા ધર્મ પરમ કહ્યો, ગઠન થર્મનો મર્મ,
સમજીને જે સેવશે તે લેશે શિવ-શર્મ. ૫૦
અર્થ :– સુદયા એટલે સમજણપૂર્વક દયા પાળવી તેને પરમધર્મ કહ્યો છે. એ ગહન ધર્મનો મર્મ છે. જે આ દયાના ગહન સ્વરૂપને સમજી તેનું પાલન કરશે તે જીવ શિવ-શર્મ એટલે મોક્ષની સુખશાંતિને પામશે એમાં કોઈ સંદેહ નથી. ।।૫૦।।
કોટિ ગ્રંથ જે કહ્યું, 'મહાભારતે' સાર‘પરપીડા ત્યાં પાપ છે, પુણ્ય જ પરોપકાર.’૫૧
અર્થ :– કરોડો ગ્રંથોમાં કહ્યું છે. તેમજ ‘મહાભારત'નો પણ આ સાર છે કે પ૨ને પીડા આપવી
--
તે પાપ છે અને પર જીવોનો ઉપકાર કરવો એ જ પુણ્ય છે. ૫૧