SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ ४०७ મારા સ્વરૂપમાં કોઈ પ્રકારની ખામી નથી. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય છે. ભારણા તન્મય શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા જીંવની થાય, જીવનિર્જરા જાણ ત્યાં પૂર્વ-કર્મ ઝરી જાય. ૨૮ અર્થ - એમ આત્મભાવના કરતાં જ્યારે શુદ્ધસ્વભાવમાં તન્મય થઈને જીવની સ્વરૂપમાં સ્થિરતા થાય, તેને છઠ્ઠ તત્ત્વ જીવ-નિર્જરા કહેવામાં આવે છે. ત્યાં પૂર્વે કરેલા કર્મો પણ ઝરવા માંડે છે. /૨૮ાા ઝરે કર્મ એવા ક્રમે, અર્જીવ-નિર્જરા એ જ; સર્વ કર્મ ક્ષય થાય તે અજીંવ-મોક્ષ ગણી લે જ. ૨૯ અર્થ - ઉપર પ્રમાણે આત્મભાવના ભાવતાં કમ ઝરવાનો અર્થાતુ પુગલના બનેલા કર્મોની નિર્જરાનો ક્રમ શરૂ થાય છે, તેને અજીવ-નિર્જરા કહેવામાં આવે છે. જ્યારે ઉપરોક્ત ક્રમવડે સર્વ કર્મોનો સર્વથા ક્ષય થાય છે, તેને અજીવ-મોક્ષ ગણવામાં આવે છે. રા. શુદ્ધ સ્વરૂપે સ્થિરતા ટકતી કાળ અનંત, જીવ મોક્ષ સમજો, જનો; ભજે સિદ્ધ ભગવંત. ૩૦ અર્થ :- સર્વ કર્મોના સંપૂર્ણ ક્ષય વડે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં અનંતકાળ સુધી જે સ્થિરતા ટકી રહે છે તેને સાતમું જીવ-મોક્ષ નામનું તત્ત્વ કહેવામાં આવે છે. તે સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વભાવની સ્થિરતાને સિદ્ધ ભગવંતો સદા ભજી રહ્યા છે અર્થાત અનુભવી રહ્યા છે. ૩૦ના શુભભાવક જીંવ, પુણ્ય જો; અશુભભાવ જીંવ પાપ, દ્રવ્યકર્મરૂપ અર્જીવ છે; ફળ ગણ સુખ-સંતાપ. ૩૧ અર્થ:- જીવના શુભભાવને આઠમું તત્ત્વ જીવ-પુણ્ય નામે અને જીવના અશુભભાવને નવમું તત્ત્વ જીવ-પાપ નામે ઓળખવામાં આવે છે. શુભ અશુભ ભાવોના કારણે દ્રવ્યકર્મનું આવવું, તે બેયને અજીવપુણ્ય અને અજીવ-પાપ કહેવામાં આવે છે. એ પુણ્ય પાપના ફળો ક્રમશઃ શાતા સુખરૂપે અને અશાતાના સંતાપરૂપે આવે છે. ૩૧ નવે તત્ત્વની વાત આ કહી સંક્ષેપે સાવ, વિચારજો વિસ્તારથી કરવા સમ્યક ભાવ. ૩૨ અર્થ - પ્રયોજનભૂત આ નવેય તત્ત્વની વાત અહીં સાવ સંક્ષેપમાં કહેવામાં આવી છે. તેને જ્ઞાનીપુરુષોના બીજા ઉપદેશવડે કે સન્શાસ્ત્રો દ્વારા વિસ્તારથી વિચારજો. જેથી જીવની, મિથ્યા માન્યતાઓ ટળી જશે અને સમ્યભાવો ઉત્પન્ન થઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. સર્વ ફ્લેશથી અને સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.' (વ.પૃ.૪૫૧) જે જીવ, નવ તત્ત્વના સ્વરૂપને યથાર્થ જાણે છે, તે જીવ સાર્વજનિક એટલે જગત જનતાનું વાસ્તવિક શ્રેય અર્થાત હિત કરી શકે. આ પાઠમાં સંસારી જીવોનું હિત શામાં રહેલું છે તે શ્રેય અને પ્રેયના સંવાદરૂપે સમજાવે છે, કે જેથી જીવ સંસારના રંગબેરંગી ભૌતિક સુખમાં ભૂલો નહીં પડીને, પોતાના આત્માનું કલ્યાણ કરે.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy