SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ ૪ ૦ ૩ તો જીવને નિત્ય પરિચિત છે. સ્પર્શ, રૂપ, રસ, ગંઘ એ તેના અસાધારણ ગુણો છે. તથા શબ્દ છે તે પુદુ ગલ પરમાણુના અંઘથી બને છે અને વિનાશ પામે છે. આટા પુદ્ગલના પરમાણુ મૂળ ઇન્દ્રિયથી ન ગ્રહાય; સ્નિગ્ધ રુક્ષ ગુણ પરિણયે અણગણ બહુવિઘ થાય. ૯ અર્થ :- પુદ્ગલ દ્રવ્યના પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે. તે રૂપી હોવા છતાં પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય એમ નથી. તે પુદ્ગલ પરમાણુમાં સ્નિગ્ધ એટલે ચીકણાપણાનો તથા રુક્ષ એટલે લુખાપણાનો ગુણ હોવાથી તે એક બીજામાં પરિણમી અનેક પ્રકારના અણગણ એટલે રૂંઘ બને છે. અનંત પુદગલ પરમાણુનો અંઘ બને ત્યારે જ તે દ્રષ્ટિગોચર થાય છે ત્યાં સુધી તે થતો નથી. જીંવ પુદ્ગલ ગતિ કરી શકે, ઘર્મ-દ્રવ્ય જો હોય; જેમ જળ મલ્યો ફરે મદદ ઉદાસીન જોય. ૧૦ અર્થ – હવે અજીવ દ્રવ્યનો બીજો ભેદ ઘર્માસ્તિકાય છે. તેનું કાર્ય વર્ણવે છે – જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો જ ગતિ કરી શકે, બીજા દ્રવ્યો નહીં. વિશ્વમાં ઘર્માસ્તિકાય નામનું દ્રવ્ય વિદ્યમાન છે. તેથી આ બે દ્રવ્યો ગતિ કરી શકે છે. જેમ જળમાં મસ્યો એટલે માછલાઓ ફરે છે તેમાં તેમને ચાલવામાં ઉદાસીન સહાયક તે જળ છે. જળ ન હોય તો તે માછલાઓ ગતિ કરી શકે નહીં. તેમ જીવ અને પુદગલ દ્રવ્યને વિશ્વમાં ગતિ કરવામાં ઘર્માસ્તિકાય દ્રવ્ય ઉદાસીન સહાયક છે. ||૧૦ના જીંવ પુદ્ગલ સ્થિર થાય છે અથર્મ-દ્રવ્યન માંય, મદદ ઉદાસીન પામી તે; જેમ પથિક લહીં છાંય. ૧૧ હવે અજીવ દ્રવ્યનો ત્રીજો પ્રકાર અધર્માસ્તિકાય છે તે જણાવે છે – અર્થ - જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ્યાં સ્થિર થાય છે તેમાં પણ અઘર્માસ્તિકાય દ્રવ્ય ઉદાસીન સહાયક છે. જેમ પથિક એટલે મુસાફર પણ ચાલતા ચાલતા ઝાડની છાયા જોઈને વિશ્રામ કરે છે, તેમાં પણ અધર્માસ્તિકાય દ્રવ્યની ઉદાસીનપણે સહાયતા છે. ||૧૧|| દ્રવ્યો ક્ષણ ક્ષણ પરિણમે, તેમાં કારણ કાળ; કાળ-અણુ ત્રણ લોકમાં પ્રતિ પ્રદેશ નિહાળ. ૧૨ હવે અજીવ દ્રવ્યનો ચોથો ભેદ તે કાળ દ્રવ્ય છે તેનું સ્વરૂપ જણાવે છે – અર્થ - છએ દ્રવ્યો સમયે સમયે પરિણમન કરે છે તેમાં પણ કાળ કારણરૂપ છે. કાળદ્રવ્ય વિશ્વમાં ન હોય તો બીજા દ્રવ્યોનું પરિણમન થઈ શકે નહીં. ઉર્ધ્વ, અઘો અને મધ્ય એમ ત્રણે લોકના લોકાકાશના પ્રતિ પ્રદેશે એક એક કાળાણું રહેલ છે એમ તું જાણ. તેને નિશ્ચયકાળ કહેવામાં આવે છે. વ્યવહારકાળના પ્રવર્તનમાં નિશ્ચયકાળદ્રવ્ય ઉદાસીન સહાયક છે. I/૧૨ાા. સૌને જે અવકાશ દે, તે “આકાશ અનંત; પાંચ અર્જીવ સહ જીવ એ દ્રવ્ય છ સત્તાવંત. ૧૩ હવે અજીવ દ્રવ્યનો પાંચમો ભેદ તે આકાશાસ્તિકાય છે. તેનું સ્વરૂપ સમજાવે છે :અર્થ :- જે બીજા સર્વ દ્રવ્યોને રહેવા માટે અવકાશ આપે છે તે આકાશાસ્તિકાય કહેવાય છે. તે
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy