SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પ્રાવધ-વિવેચન ભાગ-૧ તેનું ચિંતન, ધ્યાન, જપ, સ્તુતિ, પૂજાદિ વિધાન; સુફળ ફળે નિજ ભાવથી કે મુક્તિ-સુખ-દાન. ૧૩ અર્થ :વીતરાગ ભગવાનની મુદ્રાનું ચિંતન કરવાથી કે એ વીતરાગ ભગવાનની મુદ્રાનું ધ્યાન કરવાથી કે તેના આપેલ મંત્રોનો જાપ કરવાથી કે તેના ગુણોની સ્તુતિ કરવાથી, કે તેની પૂજા આદિ વિધાન એટલે અનુષ્ઠાન વડે ભક્તિ કરવાથી પોતાના જ ભાવાનુસાર તે સત્ફળના આપનાર થાય છે. અને અંતે મોક્ષસુખના દાતાર બને છે. ।૧૩। જેવા ગુણ પ્રભુના કહ્યા, તેવી જ જિનમુદ્રા ય સ્થિર સ્વરૂપ, રાગાદિ વિણ, ધ્યાનમૂર્તિ દેખાય. ૧૪ અર્થ – શાસ્ત્રોમાં પ્રભુના જેવા ગુણ કહ્યા છે તેવાં જ જિનમુદ્રામાં જણાય છે. ભગવાન રાગદ્વેષથી રહિત હોવાથી સ્વસ્વરૂપમાં સ્થિત છે. તેવી જ ભગવાનની મૂર્તિ પણ ઘ્યાનાવસ્થામાં સ્વસ્વરૂપમાં સ્થિત જણાય છે. ।।૧૪|| કૃત્રિમ, કારીગર-રચિત, જિનવરબિંબ ગણાય; તો પણ તેના દર્શને પ્રભુ-ભાવે ઉર જાય. ૧૫ અર્થ :– જિનેશ્વર ભગવાનની પ્રતિમા તે કૃત્રિમ, કારીગર દ્વારા બનાવેલ હોવા છતાં પણ તેના દર્શન કરવાથી પ્રભુના શુદ્ધ ભાવોમાં આપણું મન જાય છે. I।૧૫। એ ઉપર દૃષ્ટાંત છે; સુણ, ભૂપતિ ગુણવાન; વેશ્યા-શબ સ્મશાનમાં, ત્યાં મુનિ, વ્યસની, દ્યાન. ૧૬ અર્થ – એના ઉપર એક દૃષ્ટાંત છે તે હૈ ગુણવાન એવા રાજા! તું સાંભળ. સ્મશાનમાં એક વેશ્યાનું મડદું પડેલું હતું. ત્યાં મુનિ, વ્યસની અને શ્વાન એટલે કૂતરાનું આવવું થયું. ।।૧૬। શબ ખાવા કૂતરો ચઢે, વ્યસનીમન લોભાય– જીવતી ગણિકા હોય તો વાંછિત ભોગ પમાય. ૧૭ અર્થ :— તે મડદાને કૂતરો ખાવા ઇચ્છે છે, વ્યસનીનું મન તે વેશ્યામાં આસક્ત થાય છે કે જો આ ગણિકા એટલે વેશ્યા જીવતી હોત તો હું એના વડે ઇચ્છિત ભોગ પામી શક્ત. ।।૧૭।। હું મુનિ મડદું દેખી કહે : ‘નરભવ દુર્લભ તોય, ગણિકાએ તપ ના કર્યું; સ્નૂલશો ક્વે ન કોય.’ ૧૮ અર્થ : જ્યારે મુનિ ભગવંતે વૈશ્યાના મડદાને જોઈને કહ્યું કે દેવદુર્લભ એવો મનુષ્ય દેહ્ર પામીને પણ આ વેશ્યાએ ઇચ્છાનિરોદ્યરૂપ તપ કર્યું નહીં, અર્થાત્ તત્ત્વ સમજી ઇચ્છાઓને ઘટાડી નહીં. તેથી ઠે ભવ્યો! એવી ભૂલ તમે કરશો નહીં, અર્થાત્ આવો મનુષ્યભવ પામીને ઇચ્છાઓને ઘટાડજો. ।।૧૮। આમ અચેતન અંગથી ત્રિવિધ ભાવ-ફળ થાય, વ્યસની નર નરકે ગયો, ભેંખ-દુખ ચાન કમાય. ૧૯ અર્થ :— આમ અચેતન એટલે જડ એવા વેશ્યાના શરીર વડે ત્રણ પ્રકારે જીવોના ભાવ થયા, અને તેનું ફળ પણ તેઓ પોતાના ભાવ પ્રમાણે પામ્યા. વ્યસની મનુષ્ય તેને ભોગવવાના ભાવવડે મરીને
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy