SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ ભીડ ભોગની ઘણી છતાં દેવ ન વીસરે ધર્મ; સમ્યગ્દર્શન નિશદિન દર્શાવે શિવ-શર્મ. ૬૪ અર્થ :— દેવલોકમાં ભોગોની ઘણી ભીડ હોવા છતાં પણ તે દેવ, ધર્મને વિસરતા નથી પણ સમ્યગ્દર્શન હોવાથી તે હમેશાં શિવ-શર્મ એટલે મોક્ષસુખને જ સર્વશ્રેષ્ઠ દર્શાવે છે. ૬૪ અશ્વપુરે વિદેહમાં વજ્રવીર્ય નૃપનામ; વિજયા પટરાણી-કૂંખે દેવ-જન્મ અભિરામ. ૬૫ અર્થ :— વિદેહક્ષેત્રમાં અશ્વપુરમાં વજવીર્ય નામના રાજાની વિજયા નામે પટરાણીના કૂખે પાર્શ્વનાથ ભગવાનનો જીવ દેવલોકથી ચ્યવીને અભિરામ એટલે મનોહર સ્વરૂપે અવતર્યો. તેનું નામ વજ્રનાભિ રાખવામાં આવ્યું. આ ભગવાનનો છઠ્ઠો ભવ છે. ।।૫।। વજ્રનાભિ સુલક્ષણો જનમન-રંજનહાર; વિદ્યા ભણ્ણ યશ પામિયો, રાજ્ય કરે સુખકાર. ૬૬ અર્થ – વજ્રનાભિ સુલક્ષણાયુક્ત હોવાથી લોકોના મનને રંજન કરનાર થયો. અનેક પ્રકારની વિદ્યા ભણીને જગતમાં યશ પામ્યો, તથા મોટો થયે તે સર્વને સુખ આપતો રાજ્ય કરવા લાગ્યો. ।।૬૬॥ ચક્રરત્ન પુણ્યોદયે આયુધ-શાળામાંય, પ્રગટ્યા પછી ષટ્ ખંડને જીતી વસે સુખમાંય. ૬૭ અર્થ :— પુણ્યોદયે તેની આયુ શાળામાં ચક્રરત્ન પ્રગટ્યું. તેથી છ ખંડને જીતીને સુખમાં વસવા લાગ્યો. આશ્ચર્યની વાત એ છે કે તે ચક્રવર્ડ એકપણ જીવની હિંસા કર્યાં વગર તેણે તે ખંડને સાધ્યા. ॥૬॥ ચૌદ રત્ન, નવ નિધિ સૌ સુખ-સામગ્રી હોય, પૂર્વ પુણ્યની વેલનાં અનુપમ ફળ એ જોય, ફ્રૂટ અર્થ :— :– તેના રાજ્યમાં ચૌદ મહારત્નો તથા નવ નિધાન હતા કે જે વડે ઇચ્છિત વસ્ત્ર, શસ્ત્ર, અલંકાર, શાસ્ત્ર, વાજીંત્ર, વાસણ અને રત્નાદિ મેળવી શકાય. તથા છતું કરોડ ગામ તેના તાબામાં હતા. બત્રીસ હજાર રાજા મહારાજાઓનો તે સ્વામી હતો. સાતસો ઉત્તમ રત્નની ખાણ હતી તથા જેને છન્નુ હજાર રાણીઓ હતી. કરોડોની સેના તથા ચા૨ાશી હજાર હાથી વગેરે હતા. અદ્ભુત સિંહાસન, છત્ર, ચામર વગેરે તેનો વૈભવ હતો. એમ સર્વ પ્રકારની ભૌતિક સુખસામગ્રી જેને ત્યાં ઉપલબ્ધ હતી. આ સર્વ પૂર્વ જન્મમાં કરેલ પળ્યરૂપી વેલના, અનુપમ ફળો તેને પ્રાપ્ત થયા. કાટા ખેડૂત દાણા ખાય પણ, બીજ સાચવતા જેમ; ચક્રવર્તી સુખ ભોગવે ધર્મ સાચવી તેમ. ૬૯ અર્થ : ખેડૂત લોકો દાણ ખાય છે પણ ફરીથી અનાજની વાવણી માટે બીજને સાચવી રાખે છે, = તેમ આ ચક્રવર્તી પણ સુખને ભોગવતા છતાં ધર્મરૂપી બીજને સાચવી રાખે છે. લા ક્ષેમંકરમુનિ-આગમન સુી હરખ્યો નૃપરાય, સદ્ગુરુભક્તિવેગથી વંદન કાજે જાય. ૭૦
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy