SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ! વર્ધમાન, સુદેવ નક્કી સિદ્ધિ-વહૂઁ વશો તમે, હે! દેવ સાચા, આપના સ્મરણે ધીરજ વરીએ અમે.’ ૩૨ અર્થ :— આશ્ચર્ય પામી, દેવ પ્રગટ થઈને મહાવીરના ગુણની સ્તવના કરતો બોલ્યો કે અહો! ધૈર્યવાન, વીર આપ જ છો. હું હવે તમને જગતમાં મહાવીર ગણીને નમસ્કાર કરું છું. હું હૈ વર્ધમાન, તમે જ સત્ દેવ છો. તમે જરૂર સિદ્ધિ રૂપી સ્ત્રીને વરશો. તે સાચા દેવ, આપના સ્મરણથી અમે પણ ઘીરજને પામીએ છીએ. ।।૩૨।। સ્વર્ગે ગયો તે, વીર જિન પણ પુણ્યાને ભોગવે, કોમળ કમળ સમ શરીર પણ નહિ વજ્રઘાને લેખવે. બલ અતુલ તોયે દુઃખ દે ના નિરપરાધી જીવને, ત્રીસ વર્ષ સુખમાં ક્ષણ સમાં વીત્યાં, હવે ભરયૌવને– ૩૩ અર્થ – એમ સ્તુતિ કરીને સંગમદેવ સ્વર્ગે ગયો. મહાવીર જિન પણ પુણ્યફળને ભોગવા લાગ્યા. = જેનું કોમળ કમળ સમાન શરીર હોવા છતાં પણ જે વજ્રના ઘાને ગણતા નથી. પ્રભુના ભગવાનમાં અતુલ્ય બળ હોવા છતાં નિરપરાધી જીવને તે દુઃખ આપતા નથી. ત્રીસ વર્ષ સુખમાં ક્ષન્ન સમાન વ્યતીત થયા. હવે પ્રભુ ભર યૌવન અવસ્થામાં આવ્યા. ।।૩૩।। વિચાર જાગ્યો વીરને ચારિત્રમોહ ઘટી જતાં : જન્મો કરોડો રે કર્યા, નહિ પાર પામ્યો તે છતાં, કર્યો ભૂલ ભવ-ભવમાં રહી કે ભવ હજી કરવો પડ્યો? ફરી ફરી વિચારી ટાળી દેવી,' એ વિચાર કરે ઘડ્યો. ૩૪ - અર્થ :– હવે ચારિત્રમોહ ઘટી જતાં પ્રભુને વિચાર જાગ્યો કે અરે ! કરોડો જન્મ ધારણ કરતાં છતાં પણ આ સંસાર સમુદ્રથી હું પાર પામ્યો નહીં. એવી કઈ ભૂલ ભવ ભવમાં રહી જાય છે કે જીવને હજી ભવ કરવા પડે છે. તે ભૂલને હવે ફરી ફરી વિચારીને જરૂર ટાળી દેવી એવો વિચાર હૃદયમાં ઘડી રાખ્યો. ‘‘વિચારોની ઉત્પત્તિ થયા પછી વર્તમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હા તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે સીન્ન કરવાં? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભુલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી ને ભુલથી છૂટવા ઇચ્છે, તોપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભુલથી છૂટવાની ઇચ્છા મૂળ ભુલથી છૂટવાનું સહેજે કારણ થાય છે.’’ (વ.પૂ.૩૯૯) ‘“મૂળ ભૂલ એ જ છે કે વૈરાગ્ય ઉપશમ નથી, મુમુક્ષુત્તા નથી. મુમુક્ષુતા આવે તો શું કરવા જેવું છે, તે એને સમજાય. એ મોટી ભૂલ પહેલી કાઢવાની છે. વૈરાગ્યઉપશમ જેમ જેમ વધારશો તેમ તેમ બધું સમજાશે. એ કેવળજ્ઞાનનું કારણ છે. વૈરાગ્યઉપશમની બહુ જરૂર છે. એને
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy