SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ मुक्तिवादः बुद्धिनाश एव । बुद्धर्ज्ञानाद्याश्रयतया तत्त्वज्ञानस्याश्रयतारूपसाक्षात्सम्बन्धस्य नाशकतावच्छेदकतया लाघवाद् अदृष्टे सामानाधिकरण्यरूपपरम्परासम्बन्धेनैव तत्त्वज्ञानसत्त्वात् तस्य तन्नाशकत्वे नाशकतावच्छेदकप्रत्त्यासत्तिगौरवात् । न च प्रतियोगिनिष्ठप्रत्यासत्त्या ज्ञानस्यादृष्टनाशकत्वोपगम एव गौरवात् नाशाधिकरणनिष्ठसाक्षात्सम्बन्धेनैव तस्य तन्नाशं प्रति हेतुत्वमुपगन्तव्यमिति वाच्यम् । तथा सति नियामकाभावेनातिप्रसङ्गापातात् । एवं वासनानाशे तत्त्वज्ञानस्य पृथक्कारणताकल्पनेनापि न्यायमते गौरवम् । तन्नाशादेवादृष्टनाशवत् वासनानाशोपपत्तेस्तत्त्वज्ञानस्य માનવામાં કોઈ આપત્તિ નથી. પણ તત્ત્વજ્ઞાન અદષ્ટનાશનું સાક્ષાત્ કારણ નથી, બુદ્ધિ નાશ અદષ્ટનાશનું સાક્ષાત્ કારણ છે. બુદ્ધિમાં જ્ઞાનાદિ રહે છે. તત્ત્વજ્ઞાનનો આશ્રયતા રૂપ સાક્ષાત્ સંબંધ નાશકતાવચ્છેદક બને છે તેથી લાઘવ થાય છે. અદષ્ટનાશમાં સામાનાધિરણ્યરૂપ પંરપરા સંબંધથી તત્ત્વજ્ઞાન રહે છે તેથી તત્ત્વજ્ઞાન અદષ્ટનાશનું સાક્ષાત્ કારણ માનીએ તો નાશકતાવચ્છેદક સંબંધ ગુરુભૂત છે. પ્રશ્ન :–પ્રતિયોગીમાં રહેલ સંબંધથી જ્ઞાનને અષ્ટનાશક માનવામાં જ ગૌરવ છે. તેથી નાશના અધિકરણમાં રહેલા સાક્ષાત્ સંબંધથી જ તત્ત્વજ્ઞાન અદષ્ટનાશનું કારણ બને છે એમ માનવામાં લાઘવ છે. જવાબ :–આવું માનવામાં કોઈ નિયામક નથી તેથી અતિપ્રસંગ થશે. આ જ રીતે વાસનાના નાશમાં તત્ત્વજ્ઞાનને અતિરિક્ત કારણ માનવામાં ન્યાયમતમાં ગૌરવ છે. (અમારા મતે) મહત્ત્વ નથી. અવિદ્યા અષ્ટરૂપ કે મિથ્યાજ્ઞાનાહિત વાસનારૂપ હોય તેની નિવૃત્તિનું કારણ તત્ત્વજ્ઞાન નથી. અવિદ્યાની નિવૃત્તિ બુદ્ધિનાશથી થાય છે. તત્ત્વજ્ઞાન બુદ્ધિનાશનું કારણ છે. આમ તત્ત્વજ્ઞાન અવિદ્યાનિવૃત્તિનું સાક્ષાત્ કારણ નથી પણ બુદ્ધિનાશનું સાક્ષાત્ કારણ છે. પ્રશ્ન :–તત્ત્વજ્ઞાન અદૃષ્ટનાશનું સાક્ષાત્ કારણ નથી પણ બુદ્ધિનાશ દ્વારા છે. આવું માનવા પાછળ શું તર્ક છે ? જવાબ :–લાઘવ રૂપ તર્ક છે. બુદ્ધિ, જ્ઞાન વગેરેનો આશ્રય છે. તત્ત્વજ્ઞાન, બુદ્ધિનિષ્ઠ છે. તત્ત્વજ્ઞાન બુદ્ધિના નાશનું કારણ છે. તેથી નાશકતાવચ્છેદક સંબંધ આશ્રયતા બને છે. તત્ત્વજ્ઞાન અને બુદ્ધિ વચ્ચે આશ્રયતા સંબંધ સાક્ષાત છે. તત્ત્વજ્ઞાનને અષ્ટનાશનું કારણ માનીએ તો નાશકતાવચ્છેદક સંબંધ પરંપરિત બને છે. તત્ત્વજ્ઞાન અને અદૃષ્ટ બંને વચ્ચે સામાનાધિકરણ્ય છે. એકાધિકરણવૃત્તિત્વરૂપ આ સંબંધ પરંપરા સંબંધ છે. આમ, અષ્ટનાશ નિરૂપિત કારણતામાં નાશતાવચ્છેદક સંબંધ ગુરુભૂત બને છે. બુદ્ધિનાશ નિરૂપિત કારણતામાં નાશકતાવચ્છેદક સંબંધ લઘુ છે. આથી તત્ત્વજ્ઞાનને બુદ્ધિનાશનું જ કારણ માનવું જોઈએ. પ્રશ્ન –અદેષ્ટ અને તત્ત્વજ્ઞાન વચ્ચે સામાનાધિકરણ્ય સંબંધ પ્રતિયોગિતાનો અવચ્છેદક છે. આ સંબંધ પ્રતિયોગી નિષ્ઠ છે. તત્ત્વજ્ઞાન અષ્ટનાશનું કારણ છે. અદષ્ટ નાશનો પ્રતિયોગી અદષ્ટ છે. તે અને તત્ત્વજ્ઞાન એક અધિકરણમાં છે. આમ પરંપરા સંબંધ બને છે.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy