________________
१८६
नानभिलाषात् । मुक्तिपदार्थस्य च निरुपधीच्छाविषयत्वात् ॥१४॥ ( શ્ ́ )નિત્યો ધૃસુવ્યક્ત્તિ-રિતિ તૌતાતિતા ન]:/ नित्यत्वं चेदनन्तत्व- मत्र तत्सम्मतं हि नः ॥१५॥
मुक्तिवादः
नित्येति । नित्यमुत्कृष्टं च निरतिशयं यत्सुखं तद्व्यक्तिर्मुक्तिरिति तौतातिता जगुः । अत्र मते नित्यत्वमनन्तत्वं चेत्तत्तदा नोऽस्माकं हि निश्चितं सम्मतं । सिद्धसुखस्य साद्यपर्यवसितत्वाभिधानात् । तस्य च मुक्तावभिव्यक्तेः ||१५||
( ૧૬ ) થાનાવિત્વમેતવ્યે-ત્તથાગ્યેષ નયોસ્તુ નઃ । सर्वथोपगमे च स्या- त्सर्वदा तदुपस्थितिः ॥१६॥
अथेति । अथैतन्मुक्तिसुखे नित्यत्वमनादित्वं चेत्तथापि न एष नयोऽस्तु संसारदशायां कर्माच्छन्नस्यापि सुखस्य द्रव्यार्थतया शाश्वतात्मस्वभावत्वात् । सर्वथोपगमे
છે...ઇત્યાદિક અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર ગ્રંથમાં પ્રતિપાદન કરાયેલા પદાર્થને સંક્ષેપથી સમજાવવાનું તાત્પર્ય છે, જે ઉપર જણાવ્યા મુજબ સમજી શકાય છે. II૩૧-૧૪ (૧૫) હવે તૌતાતિતની માન્યતાનું નિરાકરણ કરાય છે
“નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને તૌતાતિતો મુક્તિ તરીકે વર્ણવે છે. એમાં નિત્યત્વ અનંતત્વસ્વરૂપ હોય તો તે અમને સંમત જ છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. સર્વશ્રેષ્ઠ નિત્ય એવા સુખની જે અભિવ્યક્તિ છે એને તુતાત નામના વિદ્વાનના અનુયાયીઓ મુક્તિ કહે છે. તેમની માન્યતાના સુખનું નિયત્વ જો અનંતત્વસ્વરૂપ હોય તો ચોક્કસ જ તે અમને સંમત છે. કારણ કે અમારે ત્યાં શ્રી સિદ્ધપરમાત્માઓનું સર્વોત્કૃષ્ટ સુખ સાદિઅપર્યવસિત(અનંત)સ્વરૂપે વર્ણવેલું છે. તે સુખની અભિવ્યક્તિ મોક્ષમાં થાય છે. ।।૩૧-૧૫।।
(૧૬) તૌતાતિતોની જ માન્યતાને અનુલક્ષીને જણાવાય છે
નિત્ય ઉત્કૃષ્ટ એવા સુખની અભિવ્યક્તિને મુક્તિ માનનારાઓના મતમાં “આદિત્વસ્વરૂપ નિત્યત્વ હોય તોપણ તે અમારી-જૈનોની માન્યતાનો નય છે. સર્વથા અનાદિત્વસ્વરૂપ નિત્યત્વ માનવામાં આવે તો નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ સર્વદા થયા જ કરશે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્યાર્થ છે. તેનો અર્થ સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, જો મુક્તિના સુખમાં રહેલું નિત્યત્વ, અનાદિત્વસ્વરૂપ હોય તો તે નય અમારો છે જ. કારણ કે સંસારની દશામાં કર્મથી આચ્છાદિત પણ સુખ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત આત્મસ્વભાવ રૂપ છે. આત્મા જેમ સર્વદા વિદ્યમાન છે, તેમ તેનું સુખ પણ સર્વદા વિદ્યમાન જ.
સર્વથા (અર્થાત્ પર્યાયાર્થિનયથી પણ) સુખમાં અનાદિત્વસ્વરૂપ નિત્યત્વ માની લેવામાં આવે તો તે નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ સર્વદા થવાનો પ્રસંગ આવશે. યદ્યપિ તેના નિવારણ માટે એમ કહી શકાય છે કે નિત્યસુખના અભિભંજક સર્વદા ન હોવાથી તે નિત્ય હોવા છતાં તેની