________________
मुक्तिद्वात्रिंशिका
१७५
(૩) રીપત્વવિતિ પ્રાદું-સ્તવિસ્તરસતમ્ |
बाधाद् वृत्तिविशेषेष्टा-वन्यथार्थान्तराव्ययात् ॥३॥ दीपत्ववदिति । दीपत्ववदिति दृष्टान्त इति प्रास्तार्किका नैयायिकाः । इत्थं सर्वमुक्तिसिद्धौ चैत्रदुःखत्वादिकं पक्षीकृत्य तत्तन्मुक्तिसाधनोपपत्तेः । तत्तार्किकमतमसङ्गतं न्यायापेतम् । वृत्तिविशेषस्याभावीयविशेषणतया दुःखप्रागभावानाधारवृत्तित्वस्येष्टौ साध्यकोटिनिवेशोपगमे बाधात् दुःखध्वंसस्य दुःखसमवायिन्येव तया वृत्तित्वस्य त्वयोपगमात् । अन्यथा सम्बन्धमात्रेण तदिष्टौ अर्थान्तराव्ययाद् अर्थान्तरानुद्धारात्, आकाशादावपि
(૩) મોક્ષસાધક ઉપર જણાવેલા અનુમાનમાં દષ્ટાંત જણાવાય છે
आत्मकालान्यवृत्तिध्वंसप्रतियोगिन्यवृत्तिमद् दुःखत्वम्, दुःखप्रागभावनाधारवृत्तिáસપ્રતિયોનિવૃત્તિમતું, સત્કાર્યમાત્રવૃત્તિત્વીત્ - આ અનુમાનમાં “દૃષ્ટાંત દીપત્વ છે - આ પ્રમાણે તાર્કિકો નૈયાયિકો કહે છે, તે અસંગત છે. કારણ કે સાધ્યઘટક વૃત્તિતાવિશેષનો નિવેશ જો ઇષ્ટ હોય તો બાધ આવે છે અને વૃત્તિતા સામાન્યનો નિવેશ ઇષ્ટ હોય તો અર્થાતર દોષ આવે છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્ય અર્થ છે.
એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે – જયાં જ્યાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે ત્યાં ત્યાં દુઃખપ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગિનિરૂપિત વૃત્તિત્વ છે. દા.ત. દીપત્ર, સત્કાર્યદીપકનિરૂપિત વૃત્તિત્વ (સત્કાર્યમાત્રદીપકનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિત્વ) દીપત્વમાં છે અને ત્યાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિ(મહાપ્રલયકાલવૃત્તિ) દીપધ્વસના પ્રતિયોગી દીપકમાં રહેલી અધિકરણતાનિરૂપિત વૃત્તિતા પણ છે. આ રીતે તાદેશદુઃખત્વમાં સાધ્યની સિદ્ધિ થવાથી તદ્ઘટક મહાપ્રલયની સિદ્ધિથી બધા જીવોના મોક્ષની સિદ્ધિ થાય છે. ત્યાર પછી તે તે ચૈત્ર મૈત્ર ઇત્યાદિ જીવોના દુ:ખત્વને પક્ષ બનાવી તે તે જીવોની મુક્તિને સિદ્ધ કરી શકાય છે – આ પ્રમાણે તાર્કિકનૈયાયિકોનો મત છે. પરંતુ તે ન્યાયયુક્ત નથી. કારણ કે સાધ્યાંશમાં વૃત્તિવિશેષનો અર્થાત્ દુ:ખપ્રાગભાવનિષ્ઠાધેયતાનિરૂપિતાધિકરણતાવભિન્નાધિકરણતાનિરૂપિત ધ્વસનિષ્ઠાધેયતાનો અભાવી વિશેષણાત્મક સ્વરૂપસંબંધથી (સ્વરૂપસંબંધાવચ્છિન્નરૂપે) નિવેશ કરાય તો બાધ દોષ આવે છે. કારણ કે તાદેશ અભાવીય વિશેષણાત્મક સ્વરૂપસંબંધથી દુઃખનો ધ્વંસ, દુઃખના સમવાયિકારણ આત્મામાં જ નૈયાયિકોએ માન્યો છે. તેથી મહાપ્રલયકાળની સિદ્ધિ ન થવાથી તદ્ઘટિત સાધ્યની પણ સિદ્ધિ નહિ થાય, જેથી પક્ષમાં સાધ્ય બાધિત થવાથી બાધ આવે છે.
તે બાપદોષના નિવારણ માટે તાદેશ દુઃખધ્વસનિષ્ઠ વૃત્તિતા, કોઈ પણ સંબંધથી અર્થાત સંબંધસામાન્યાવચ્છિન્ન લેવામાં આવે તો અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. કારણ કે દુઃખપ્રાગભાવના અનાધારભૂત આકાશાદિમાં પણ વ્યભિચારિતાદિ-સ્વાભાવવત્ત્વાદિ સંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આકાશાદિ પણ સિદ્ધ થશે. સ્વ દુઃખધ્વંસ, સ્વાભાવ દુઃખધ્વસાભાવ, સ્વાભાવવ=આકાશાદિ, સ્વાભાવવત્ત્વ આકાશાદિમાં હોવાથી સ્વાભાવવત્ત્વસંબંધથી દુ:ખધ્વસ પણ આકાશાદિમાં છે.