________________
न्यायालोकः
१५७
वच्छिन्नाभावस्यैव प्रत्ययात्, अन्यथा
"सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियं । તે વૈ મોક્ષ વિનાનીયોર્ ૩ઃપ્રાપમનાત્મમિક / ( )
इत्यादिसुखमयमुक्तिबोधकस्मृति-विरोधापत्तेः । न च तत्र सुखशब्दः औपचारिकः, बाधकाभावात् ।
(२३) न च शरीरादिकं विना सुखाद्यनुत्पत्तिर्बाधिका, शरीरादेर्जन्यात्मविशेषगुणत्वावच्छिन्नं प्रत्येव हेतुत्वात्, तत्र च जन्यत्वस्य ध्वंसप्रतियोगित्वरूपस्येश्वरज्ञानादेवि मुक्तिकालीनज्ञानसुखादेरपि व्यावृत्तत्वात् । न च तत्र कारणान्तरकल्पने દુઃખાભાવ એમ બે અભાવનું ભાન. આથી મોક્ષમાં દુઃખાભાવપ્રયુક્ત સુખદુઃખઉભયાભાવ માની શકાય છે. જો મોક્ષમાં સુખ-દુ:ખોભયત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક એક અભાવ માનવાના બદલે સુખાભાવ અને દુઃખાભાવ એમ બે અભાવ માનવામાં આવે તો ‘સુમતિવં...' અર્થાત્ “મોક્ષ તેને સમજવો જોઈએ જેમાં મનુષ્યને એવા આત્મત્તિક શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે કે જે ઇન્દ્રિયવેદ્ય નહીં પણ બુદ્ધિવેદ્ય હોય છે તથા શાસ્ત્રોક્ત સત્કર્મ દ્વારા પોતાના આત્માની શુદ્ધિ નહીં કરનાર મનુષ્યોને માટે દુષ્પાપ્ય હોય છે. આ સ્મૃતિવચનનો વિરોધ આવશે કે જે સુખમય મુક્તિનું પ્રતિપાદક છે. મોક્ષને સુખમય બતાવનાર શાસ્ત્ર વચનોના અનુસારે મોક્ષઅવસ્થામાં સુખાભાવના બદલે સુખનું અસ્તિત્વ માનવું ન્યાયસંગત છે. મોક્ષમાં દુઃખ ન હોવાથી દુઃખાભાવમાં સુખશબ્દ ઔપચારિક માની ન શકાય, કારણ કે મોક્ષમાં સુખ માનવામાં કોઈ બાધક પ્રમાણ નથી.
શરીર વિના પણ મોક્ષમાં સુખ-સ્યાવાદી (૨૩) ન વ શ | અહીં જો એમ કહેવામાં આવે કે–મોક્ષમાં સુખ યા સુખાનુભવ એટલા માટે માની નહિ શકાય કે તે અવસ્થામાં સુખ અને સુખાનુભવના ઉત્પાદક શરીર વગેરેનો અભાવ હોય છે–તો આ વાત બરાબર નથી, કારણ કે શરીર વગેરે તો આત્માના જન્ય વિશેષ ગુણના જ કારણ છે અને મોક્ષકાલીન સુખ અને સુખાનુભવ જન્ય નથી હોતા. આથી શરીર વગેરેના અભાવમાં પણ મોક્ષદશામાં સુખ અને સુખાનુભવ હોવામાં કોઈ બાધા નથી.
અહીં જો એવો પ્રશ્ન થાય કે–મોક્ષકાલીન સુખ અથવા સુખાનુભવ જો જન્ય ન હોય તો તે સદાતન =અનાદિકાલીન હોવાથી સંસારી અવસ્થામાં પણ રહેશે. ફલતઃ બંધન અવસ્થા અને મોક્ષ અવસ્થામાં કોઈ ફેર નહીં પડે. અથવા કોઈ ફેર પડે તો પણ મોક્ષ અવસ્થામાં જે પ્રાપ્તવ્ય છે તે સંસાર અવસ્થામાં પણ સુલભ હશે તો મોક્ષ માટેનો પ્રયત્ન વ્યર્થ બની રહેશે–તો એનું સમાધાન એ છે કે મોક્ષદશામાં સુખ કે અનુભવને જન્ય નહીં માનવાનો અર્થ એવો નથી કે તે સનાતન અનાદિપ્રકટ છે, એની ઉત્પત્તિ નથી થતી પરંતુ તેનો અર્થ એવો છે કે મોક્ષાવસ્થામાં જે સુખ અને સુખાનુભવ ઉત્પન્ન થાય છે તેનો અન્ય જન્યપદાર્થની જેમ ધ્વંસ થતો નથી, પરંતુ ઈશ્વરના જ્ઞાન વગેરે ગુણોમાં જેમ ધ્વસ પ્રતિયોગિતાનો અભાવ છે તેમ મોક્ષકાલીન સુખ અને સુખાનુભવ ધ્વંસના પ્રતિયોગી નથી બનતા. માટે તે અનાશ્ય છે. અહીં પ્રશ્ન થાય કે–મોક્ષકાલીન સુખ અને