________________
१५४
अतः सुष्ठुक्तम्
दुःखाभावोऽपि नावेद्यः पुरुषार्थतयेष्यते ।
न हि मूर्च्छाद्यवस्थार्थं प्रवृत्तो दृश्यते सुधीः ॥ इति ॥
मुक्तिवादः
( २० ) 'दुःखं मा भूदि' त्युद्दिश्यैव प्रवृत्तेः दुःखाभाव एव पुरुषार्थ:, तज्ज्ञानं त्वन्यथासिद्धमिति चेत् ? किमत्र माझेऽर्थो ध्वंसः प्रागभावो वा ? आद्ये मूर्च्छादावपि प्रवृत्त्यापत्तिः ज्ञानादिहानिरूपानिष्टानुसन्धाने तत्र प्रवृत्तिप्रतिबन्धे तु मुक्तावपि तथाप्रसङ्गः । अन्त्ये मुक्तावप्रवृत्त्यापत्तिः, तत्र दुःखप्रागभावाभावात् ।
માણસોની પ્રવૃત્તિના સંબંધમાં કે જે દુઃખથી ડરીને આત્મહત્યા કરવા તૈયાર થાય છે. તેઓ એવું નથી વિચારતા કે આત્મહત્યા તેમને દુઃખથી બચાવી નહીં શકે, પરંતુ તે સ્વયં એક નવું પાપ હોવાથી નવા જન્મમાં તેના માટે દુઃખનું કારણ બનશે. (‘પુરુષાર્થની બાબતમાં વિવેક ઉપયોગી નથી. પુરુષની ઇચ્છાનો વિષય બને તે પુરુષાર્થ કહેવાય પછી ભલે તે અર્થ હોય કે કામ’ આવી શંકા કરવી યોગ્ય નથી કારણ કે—પુરુષાર્થમાં વિવેકનો ઉપયોગ તૈયાયિક પશુને જ ન હોય. પ્રેક્ષાવાન્ = બુદ્ધિશાળીઓને તો હોય. કારણ કે બુદ્ધિશાળીઓ પ્રયોજનનું યથાર્થ જ્ઞાન કરીને જ પ્રવૃત્તિ કરે છે. સં.) આટલા માટે ઠીક કહ્યું છે કે દુઃખાભાવનો જો અનુભવ ન થાય તો તે પણ પુરુષાર્થ = પુરુષકામનાવિષય નહીં બની શકે. આટલા માટે જ મૂર્છા અવસ્થામાં દુઃખનો અભાવ હોવા છતાં પણ તેના અનુભવ માટે કોઈ વિવેકી માણસ પ્રયત્નશીલ થતો દેખાતો નથી.
(૨૦) ૩:ã૦ । નૈયાયિક દ્વારા જો એમ કહેવામાં આવે કે—દુઃખ ન થાવ આ ઉદ્દેશથી જ માણસ દુઃખનિવારણના ઉપાયોમાં પ્રવૃત્તિ કરતો હોય છે, નહીં કે દુઃખાભાવનો અનુભવ થાવ એવા ઉદ્દેશથી. આથી દુઃખનો અભાવ જ પુરુષાર્થ છે નહીં કે દુ:ખાભાવનો અનુભવ. આનુષંગિક હોવાથી પુરુષાર્થ નથી, પણ અન્યથાસિદ્ધ છે. તો આ વાત અસંગત છે. કારણ કે ‘દુઃä મા ભૂ'માં મા પદનો અર્થ શું છે ? એનો સંતોષકારક જવાબ નૈયાયિક દ્વારા બતાવી શકાતો નથી. મા નો અર્થ ધ્વંસ માનશો કે પ્રાગભાવ ? આ બન્ને વિકલ્પ અસંગત છે. જો મા નો અર્થ ધ્વંસ માનવામાં આવે તો ‘દુઃવું મા મૂત્'નો અર્થ એવો થશે કે દુઃખનો નાશ થાવ. આવું માનવામાં આવે તો મૂર્છા વગેરેમાં પણ પ્રવૃત્તિ થવાની આપત્તિ આવશે, કારણ કે મૂર્છિત અવસ્થામાં દુઃખો નાશ થાય છે જ. મૂર્છામાં જ્ઞાનાદિ ગુણોની હાનિસ્વરૂપ અનિષ્ટનું ભાન થવાથી તેમાં પ્રવૃત્તિ થતી નથી આમ કહેવામાં આવે તો જ્ઞાનદુઃખાદિગુણોચ્છેદસ્વરૂપ મોક્ષમાં જ્ઞાનાદિગુણની હાનિસ્વરૂપ અનિષ્ટનું ભાન થવાથી મોક્ષલક્ષી પ્રવૃત્તિનો પણ ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. જો મા પદનો અર્થ પ્રાગભાવ માનવામાં આવે તો ‘દુ:સ્તું મા ભૂ'નો અર્થ થશે ‘દુ:ખનો પ્રાગભાવ થાવ.’ પરંતુ આ અર્થનો સ્વીકાર કરવામાં મુમુક્ષુની મોક્ષમાં પ્રવૃત્તિ નહીં થઈ શકે, કારણ કે મોક્ષમાં દુઃખનો પ્રાગભાવ નથી. ત્યાં દુઃખનો પ્રાગભાવ માનવામાં આવે તો ભાવિમાં દુ:ખની ઉત્પત્તિ થવાની વિપત્તિ આવે. આવા ઉદ્દેશથી મોક્ષમાં પ્રવૃત્તિ થતી જ નથી આવું તો ન કહી શકાય, કારણ કે