________________
मुक्तिवादः
मवधार्य शास्त्रेण पदार्थान् विविच्य तद्बोधितोपपत्तिभिस्तस्य स्थिरीकरणरूपं मननं विदधाति । न च शब्दोपपत्तिजन्यतत्त्वज्ञानात् साक्षात्कारिसवासनमिथ्याज्ञाननिवृत्तिः, दिङ्मोहादौ तथानुपलब्धेः, अतः श्रुतिस्मृत्युपदिष्टयोगविधिना चिरनिरन्तरादरसेवितनिदिध्यासनजन्ययोगजधर्मादात्मतत्त्वसाक्षात्कारं संसारबीजसवासनमिथ्याज्ञाननिहननसमर्थं आसाद्य दोषाभावात्प्रवृत्त्यादेरभावे अनागतधर्मानुत्पादेनानादिभवसञ्चितकर्मणां भोगेन क्षयादप्रवृज्यते । उपदेशमात्राच्छरीरभिन्नात्मावगमेऽप्यन्यपरत्वशङ्कया 'सङ्कसूकस्य नाश्रद्धामलक्षालनमिति मननमावश्यकम् । तथा मन्तव्यश्चोपपत्तिभिरिति श्रुतिरेवोपपत्तिबोधकस्य शास्त्रस्यापवर्गहेतुत्वं बोधयति, मननस्य तदेकसाध्यत्वात् । एवञ्च शम - दम - ब्रह्मचर्याद्युपबृंहितयावन्नित्य- नैमित्तिकसन्ध्योपासनादि-कर्मसहितात् तत्त्वज्ञानान्मुक्तिः ।
(२९) स्यादेतद् ज्ञान - कर्मणोर्न समप्राधान्येन समुच्चयः, कर्मणां स्ववाक्यात् फलान्तरार्थत्वेन श्रुतत्वान्मोक्षार्थकल्पनाविरोधात् तत्त्वज्ञानस्य कर्मनैरपेक्षेण
१११
અવધારણા કરીને શાસ્ત્રો દ્વારા પદાર્થોનું વિવેચન કરીને તેનાથી બોધિત ઉપપત્તિઓ (તર્કો) દ્વારા તેનાં સ્થિરીકરણ રૂપ મનન કરે છે.
પ્રશ્ન :–શબ્દ અને ઉપપત્તિથી ઉત્પન્ન તત્ત્વજ્ઞાનથી સાક્ષાત્કારી વાસના યુક્ત મિથ્યાજ્ઞાનની સમાપ્તિ થાય છે એવું નથી.
ઉત્તર :–દિગ્મોહાદિમાં આવી ઉપલબ્ધિ થતી નથી. તેથી શ્રુતિસ્કૃતિથી ઉપદિષ્ટ યોગપ્રક્રિયાથી ચિર અને નિરંતર આદર ભાવથી કરેલું નિદિધ્યાસન (સમાધિ)થી ઉત્પન્ન યોગજ ધર્મથી આત્મતત્ત્વ સાક્ષાત્કાર જો કે સંસારને માટે કારણ એવા વાસના સહિત મિથ્યાજ્ઞાનનો વિનાશ કરવામાં સમર્થ છે, તેને પ્રાપ્ત કરીને દોષાભાવ થવાથી પ્રવૃત્તિ વગેરેનો અભાવ થવાથી ભવિષ્યકાલીન ધર્મની ઉત્પત્તિ ન થવાના ફળસ્વરૂપ અનાદિ ભવ સંચિત કર્મોનો ભોગ દ્વારા નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. ઉપદેશ માત્રથી શરીરાદિથી ભિન્ન આત્માનું જ્ઞાન થવાથી પણ આ શ્રુતિ અન્યપરક છે, એવી શંકાથી શંકાગ્રસ્ત (અસ્થિર પુરુષ)ના અશ્રદ્ધારૂપ મળતું ક્ષાલન (ધોવાણ) નથી થતું. તેને માટે મનન આવશ્યક છે. આ પ્રકારે ‘‘મન્તવ્યોપત્તિભિ:’’ આ શ્રુતિ જ ઉપપત્તિને બતાવવાવાળા શાસ્ત્રને અપવર્ગનું કારણ બતાવે છે, કારણ કે મનન ઉપપત્તિ (તર્ક-અનુમાન)થી જ થાય છે. આ પ્રકારે શમદમબ્રહ્મચર્યાદિથી યુક્ત બધા નિત્ય નૈમિતિક સંધ્યોપાસનાદિ કર્મની સાથે તત્ત્વજ્ઞાનથી મુક્તિ થાય છે.
(૨૧) ( પૂર્વપક્ષ ) ઠીક છે, પરંતુ જ્ઞાન અને કર્મનો સમ સમુચ્ચય અથવા તેનામાંથી એકનો પ્રધાનભાવથી સમુચ્ચય મોક્ષનું કારણ છે, આ કલ્પનાનો વિરોધ થાય છે. કારણ કે - કર્મ,
૧. અસ્થિરયેત્યર્થ: ।