________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૪૯
એ માટેના યોગ પ્રાપ્ત થતો ન હતો. પણ મુંબઈ જવાનું થયું, ત્યાં પૂ. કુંવરમાને મેં અંતરની ભાવના જણાવી. પૂ. માને એ વાતની યથાર્થતા સમજાતાં તેની અનુમતિ આપતાં તેમણે જણાવ્યું કે, “આ કામ ખરેખર કરાવવા જેવું છે.” ત્યાં પૂ. માના સમા ગમમાં રહેલી બહેનોને પણ આ ઉચિત કાયમાં ઉલ્લાસ તેમ જ ઉત્સાહ આવ્યા, ને આ પુણ્ય કાયનો લાભ લેવા સૌએ ભક્તિપૂર્વક યથાશક્તિ દ્રવ્યની ભેટ આપી.
આ કાર્યની શરૂઆત થઈ. મુંબઈના પરા શીવમાં રહેતાં ગ'. સ્વ. બહેનશ્રી લમીબહેન ભોજરાજે સૌથી વિશેષ દ્રવ્યનો ફાળે આ કામ માટે આપ્યો અને ત્યાર પછી પણ આવા ભક્તિકાર્યમાં તેમનો સાથ મને મળતા જ રહ્યો છે.
પહેલાં બેએક પતરાં પર સોની પાસે ‘પુષ્પમાળા’ના અમુક વચન કોતરાવ્યાં, પણ તેવામાં પૂ. માને માંદગી આવી ને એ કામમાં વિક્ષેપ પડયો. તેટલામાં પૂ. માએ દેહત્યાગ કર્યો. ત્યાર બાદ પૂ. માના સુપુત્ર શ્રી હીરાલાલભાઈ એ બહેનોના કહેવાથી તે કામ હાથ પર લીધું. પરંતુ વ્યવસાયને લીધે તેઓ તેમાં પૂરતો સમય આપી શકતા નહિ. એક દિવસ પ્રાણજીવનભાઈ અમારે ત્યાં આવ્યા ત્યારે આ પતરાં સંબધી વાતચીત થઈ. તેમણે જણાવ્યું કે તેની પાસે આ પત્રો કેતરાવવામાં મૂળ હસ્તાક્ષરો આવશે નહિ. અને તે ઉપરાંત સમય અને નાણાંનો ઘણો ખર્ચ થશે. મને પણ તે વાત ચોગ્ય લાગી તેથી મેં તેમને વિનંતી કરી કે શ્રી હીરાલાલભાઈ પાસે સમય નથી તો તમે આ કામ ઉપાડી લો. મારી આ વિનંતી તેમણે સ્વીકારી અને તપાસ કરી કે મૂળ હસ્તાક્ષરો તામ્રપત્ર પર આવી શકે કે કેમ ? ઘણી તપાસ પછી એક કારખાનાવાળાએ પ્રાણજીવનભાઈને નમૂનાનાં ચારપાંચ પતરાં તૈયાર કરી આપ્યાં. તે તેમણે મને બતાવ્યાં તો બરાબર પ્રભુના જ હસ્તાક્ષરો પતરા પર આવેલા જોઈને મને ઘણો આનંદ થયો. બધી બહેનોને તે બતાવતાં આવા સુંદર કામને તે બધાએ પણ પૂરા સંતોષ વ્યક્ત કર્યો અને
શ્રી. ૪