________________
૪૨ : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwwwwwww
પ્રેરણાત્મક ભક્તિ કેળવી. આવા યોગથી આટલે વખત વંચિત રહી તેને પારાવાર પસ્તાવો પણ થયો. મને ખાતરી થઈ કે પૂ. મા મને સત્ય રસ્તે દોરશે. જીવનના નિત્ય વ્યવહારો વચ્ચેથી પણ સ્થિર ચિત્તે તેમના સત્સંગ કેળવવાથી કાંઈક પ્રાપ્ત કરી શકાય, એમ માની મેં' નિર્ણય કર્યો કે તેમની પાસે હું ‘કરીને ઠામ બેસીશ.”
પૂ. માં એક અનન્ય ભક્ત હતાં. એક ગૃહસ્થાશ્રમી તરીકે પણ તેઓએ જીવન જીવી જાણ્યું હતું. પરમકૃપાળુ દેવ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અલિપ્ત રહ્યા હશે તેની પ્રતીતિ મેળવવી હોય તો પૂ. માના જીવનનું દર્શન કરવું. કુટુંબજીવનમાં પૂ. માને વ્યવહાર નાનાંમોટાં કે નોકરો એમ બધાં માટે ભાવભર્યો રહેતો અને કોઈ પણ સંજોગોમાં તેઓ શાન્ત ચિત્તે જ વર્તતાં. પરમકૃપાળુ દેવે કહ્યું છે તેમઃ
કુશળ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલ'ની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુંદરી, સ’પીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેને આજનો દિવસ વંદનીય છે.”
માંડવીથી નીકળતાં અમારી ટિકિટ પૂ. માએ કઢાવી. પૂ. શ્રી. હેમચંદભાઈની તે માટે ના હોવા છતાં પૂ. માં ઉપરની મારી શ્રદ્ધાભક્તિથી મને લાગ્યું કે સભાગે જવાની છેક સુધીની આ ટિકિટ છે એમ માની મારે એ જ ટિકિટથી મુસાફરી કરવી અને એને જ અહોભાગ્ય ગણવું. પૂ. માએ અપાવેલી ટિકિટથી તે નિયત ધ્યેય પર જલદી પહોંચી જઈશું એવી ભાવના અંતરમાં લઈને માંડવીથી નીકળ્યાં. વવાણિયા પહોંચતાં જ પૂ. બ્રહ્મચારીજી સંઘ લઈ પધાર્યા હતા તેમનો લાભ મળે. પૂ. મા અને પૂ. બ્રહ્મચારીજી ખનના દર્શનના અનન્ય લહાવો મને મળ્યા. તરસ્યા માણસ તળાવે જઈને તરસ્યા પાછા આવે તેવું દુઃખ તે વખતે મારા અંતરમાં રહી ગયું કારણ કે પૂ. માના અગાધ જ્ઞાનસાગરમાંથી હું મારી તરસ ન છિપાવી શકી. ત્રણચાર વર્ષ એમ ને એમ નીકળી ગયાં પણ પૂ. માનો ફરી મેળાપ ન થયા. ત્યાર બાદ પાકિસ્તાનની રચના થતાં પુણ્યાગે મુંબઈ રહેવાનું થયું. તે