________________
મેં ડાં ભરીને પાન ક્યું છે “..મેં ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કેઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું” હોય તો તે કવિશ્રીના (શ્રીમદ્ રાજચંદ્રના) જીવનમાંથી છે. દયાધર્મ પણ હુ તેમના જીવનમાંથી શીખ્યો છું.... ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાધમ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ધર્મનું તેમની પાસેથી મેં કૂડાં ભરીને પાન કર્યું છે.”
ગાંધીજી (૧૫-૧૧-૧૯૨૧ : શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ પ્રસંગે પ્રમુખસ્થાનેથી )
ત્રિકાળ-નમસ્કાર
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો ! તે મહાત્મા વતે છે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માગને, આસનાદિ સર્વને નમસ્કાર હો !
નમસ્કાર હો ! ”
-શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૭૪)