________________
૨૩૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
અને આ પુરુષની જન્મકુંડલીમાં “ શ્રીવત્સ” નામનો રોગ પણ દેખાય છે. તે શ્લોક ૩ નો ભાવાર્થ : “ જ્યારે ગગનાધિપતિ અર્થાત્ દશમા સ્થાનનો પતિ કેદ્રસ્થાને અથવા કોણસ્થાનમાં આવે છે ત્યારે “ શ્રીવત્સ ” નામનો રોગ થાય છે.” તે આમાં દશમા સ્થાનનો પતિ શુક, કેદ્રસ્થાન અર્થાત્ ચોથા સ્થાનમાં છે, તેથી આ પુરુષ સદાસવંદા લક્ષ્મીવાન તથા બધા સુખયુક્ત રહેવાને લાયક છે એમ આ ત્રીજો ચેાગ દેખાડે છે.
અને આ પુરુષની જન્મપત્રિકામાં ચે યોગ ‘પારિજાત ” નામનો પણ છે. તે શ્લોક ૪ નો ભાવાર્થ : ‘જ્યારે તૃતીયસ્થાનપતિ પહેલા, ચોથા, સાતમા અને દેશમાં સ્થાનમાં આવે છે ત્યારે આ પુરુષ ઘણો જ રાજસમાનિત થાય.” તે આ જનમકુંડલીમાં તૃતીય સ્થાનના પતિ ભૃગુ ચતુર્થ સ્થાને વસે છે, તેથી આ યોગ અત્યુત્તમ શોભે છે. એમ ચેથા યોગ થયો.
અને આ પુરુષની જન્મકુંડલીમાં “મુક્તાદામ’ નામનો યાગ પણ ઘણાં સુખવાળા દેખાય છે. તે શ્લેક પ નો ભાવાર્થ : ‘જ્યારે અબુપતિ ચતુર્થ સ્થાનનો સ્વામી કેન્દ્રસ્થાનમાં તથા લાભસ્થાનમાં, એકાદશમાં અથવા કણસ્થાનમાં આવે છે ત્યારે ‘મુક્તાદામ’ નામના ચોગ થાય છે'. તે આમાં ચતુર્થ સ્થાનને પતિ ભૌમ, કેદ્ર એટલે ચોથા સ્થાનમાં રહેલા છે તેથી આ પુરુષ અતિ લક્ષમીવાન અને અમૂલ્ય પદાર્થોનો ભોક્તા થાય. વધારે શું ? આધ્યાત્મિક વિષયોને પણ આ સુખેથી ભગવે. એમ પાંચમા ‘મુક્તાદામ’ ચાગ પણ શોભે છે. - અને આ પુરુષનો વળી ‘મૃગરાજ’ નામનો પણ યોગ છે. તે શ્લોક ૬ નો ભાવાર્થ : “સૂર્યપુત્ર શનિ અને ભૂમિપુત્ર મંગળ, આ ગ્રહો જ્યારે વૃશ્ચિક, મેષ, સિંહ અને કર્ક રાશિમાં આવે છે અથવા ધન અને મીન રાશિમાં આવે છે, ત્યારે “મૃગરાજ” નામના
ગ થાય છે.” એવી રીતે આ જન્મરાશિમાં શનિ અને ભૌમ, બે પાપગ્રહો કેન્દ્ર-ચોથા સ્થાનમાં રહેલા છે તેથી મૃગરાજ’ નામનો યોગ પણ દેખાય છે. આ રોગ પ્રાપ્ત થતાં મનુષ્ય અતિ સુખભાગી થાય છે. એમ છઠ્ઠો “મૃગરાજ' નામનો રોગ દેખાય છે.