________________
જેઠ સુદ ૪, વાર સેમ, સં. ૧૯૫૪
વવાણિયા બંદર શ્રીમદ્ સહાત્મવરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર ! શ્રી સાયલાથી લિ. અ૯પજ્ઞ બાળક ત્રંબકના નમસ્કાર વાંચશે.
આપનો પત્ર ગઈ પરમ દિવસે સાંજે આવ્યા. તે વાંચી રાત્રે શ્રી ડુંગરશી પાસે વંચાવવા ગયા હતા પણ શુદ્ધિ નહીં હોવાથી કાગળ નથુલાલને આપેલ. દશ બન્યા પછી શુદ્ધિ આવેલ ત્યારે વંચાવ્યા. વળી ગઈ કાલે દેશ આજે શુદ્ધિ આવી ત્યારે ફેર વંચાવ્યા છે. તે કહે છે સાહેબજીએ લખ્યું છે, તે જ પ્રમાણે અને તેવી વૃત્તિમાં છું. માટે બીજુ કંઈ નથી. હવેથી મને કઈ બેલાવશે નહિ. મારા ધ્યાનમાં ચૂક પડે છે. તેમ કહી સૂતા અને એલતા બંધ થયા. તાવ આવી શરીરમાં ઘૂજ થઈ ગઈ. કાલ રાતના ૯ વાગતાં શ્રી ડુંગરે સુખ સમાધિસહિત દેહનો ત્યાગ કરી અપૂર્વ હિત કર્યું છે તે આપને જણાવવા લખ્યું છે. એ જ !
લિ. ત્રંબક
૮૩૪
વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૬, ગુરુ, સં. ૧૯૫૪ મહતું ગુણનિષ્ઠ રથવીર આર્ય શ્રી ડુંગર ચેષ્ઠ સુદી ૩ સોમવારની રાત્રીએ નવ વાગ્યે સમાધિસહિત દેહમુક્ત થયા.
મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થયા. (થાય.)