________________
૨૦૦ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ધીરજથી એ સવે ખેદ શમાવવા અને તેમના અદભુત ગુણોને અને ઉપકારી વચનાનો આશ્રય લે ચોગ્ય છે. શ્રી સભાગ મુમુક્ષુએ વિમરણ કરવા ચોગ્ય નથી. ' સંસારનું સ્વરૂપ જેણે સ્પષ્ટ જાણ્યું છે તેને સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા ચોગ્ય નથી, તોપણે એમ જણાય છે કે સત્પરુષના સમાગમની પ્રાપ્તિથી કઈ પણ હર્ષ અને તેમના વિચગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને થવા ચાગ્ય છે.
“આત્મસિદ્ધિ ” ગ્રંથ તમારી પાસે રાખશે. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશે. પણ તે પહેલાં કેટલાંક વચનો અને સાથે વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકાર થશે, એમ લાગે છે.
શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય મુમુક્ષુ પ્રત્યે ઉપકાર આદિ ગુણો વારંવાર વિચારવા ગ્ય છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ