________________
૧૯૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ભAwwww
પણ કુટુંબ વગમાં વર્ધમાનપણે રહી છે. હે પ્રભુ! એ પરમ પવિત્ર પૂજ્ય સૌભાગ્યભાઈના સમાધિમરણની સ્થિતિ જોઈ હું આનંદ સાથે પરમ હર્ષિત થયો છું. કારણ કે આવું સમાધિમરણ મેં કેઈનું હજી જોયું નથી. પણ એક રીતે મારા હીનભાગ્યને ખેદ રહે છે કે આવા પરમ–પવિત્ર અમૂલ્ય રત્નનું લાંબુ જીવન થઈ ન શક્યું', જેથી આવો ખરો હીરા મેં ખાય છે અને એ પુરુષની મોટી ખોટ પડી છે. એ મારા ખેદના હું' વિસ્તાર કરવાને ચોગ્ય નથી. આપ સર્વે જાણો છો. આપ સર્વે દેખા છે જેથી મારાથી કઈ પણ અવિનય, અભક્તિ થઈ હોય તો વારંવાર નમસ્કાર કહી ખમાવું છું. મારા હીનભાગ્યથી ચાર દિવસ અગાઉથી આવવું થયું હોત તો મારા ઉપર પતે દયા કરી કેટલાક ખુલાસા અન્યાન્ય કરવાનું બની શકત. પણ મારા અંતરાયથી તે યુગ ન અન્યા. એ મને અત્યંત ખેદ બનવા જેવું થયું છે. જેથી હવે તે ખેદ થાય છે. પણ આટલો દર્શનનો લાભ મને થવાથી પરમાનંદ થયો છે એમ સમજુ છું.
અત્રેથી હું આજે શુક્રવારે ખંભાત જવા ઈચ્છતો હતો. પણ સૌભાગ્યભાઈના કુટુંબાદિન વિશેષ આગ્રહ હોવાથી આજે રોકાવાનું થયું છે. તો હું અત્રેથી શનિવારે મેલમાં નીકળી રવિવારે ખંભાત જવા ધારું છું'. અત્રે આપ કૃપાળુશ્રી તરફથી પ્રાપ્ત થયેલ ‘સિદ્ધિશાસ્ત્ર” તથા મારા હાથે ઉતારેલા ઉપદેશપત્રોના છૂટા પત્રો તથા જેઠ માસમાં અત્રે પ્રાપ્ત થયેલા ત્રણ પત્રો એ બધું હું સાથે ખંભાત લઈ જવા ધારું છું. ઉતાવળથી અશુદ્ધ ઉપયાગે પત્રમાં કઈ રીતે અવિનયાદિક કાંઈ પણ દોષ થયા હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. હાલ એ જ, કામસેવા ઇચ્છું છું'.
અ૯પમ્પ્સ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક પરમપ્રેમે નમસ્કાર સ્વીકારશે! ભાઈ મણિલાલ ‘સિદ્ધિશાસ્ત્ર” રાખવાની આજ્ઞા મેળવવા સારું મને આપવાની હાલ ના કહે છે. બીજા પત્રો હું ભેગો લેતો જઈશ.