________________
.
૫૮૮
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ ૧૯૫૧
|
શ્રી જિન વીતરાગે દશ્ય :- ભાવસાગથી ફરી ફરી છૂટવાની. ભલામણ કરી છે. અને તે સાગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એ અખંડ માગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણ-કમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર,
આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશાગ્ય એવું: ‘આચારાંગસૂત્ર” છે. તેના પ્રથમ શ્રત સ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉપદેશમાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સવ અંગના, શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મેક્ષના બીજભૂત છે, સમ્યફવસ્વરૂપ છે, તે વાકય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય થશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છ દે નિશ્ચય કરે તે છૂટવાની માગ નથી.
સર્વ જીવનું પરમાત્માપણુ" છે એમાં સંશય નથી. તો પછી શ્રી દેવકરણજી પેતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ પ્રગટે નહીં', ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્માપણુ પ્રગટે છે. જે માગ મૂકીને પ્રવતવાથી તે પદનું ભાન થતું નથી; તથા જિન વીતરાગ સવજ્ઞ પુરુષોની આસાતના કરવારૂપ પ્રવૃત્તિમાં થાય છે. બીજો ભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે.
આત્મસ્વરૂપ પ્રણામ.