SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચદ્ર જન્મભુવન : : ૧૮૧ ww તમારાં વચનામૃતાના મેધ થયેલ તે સ્મૃતિમાં આવે છે; ને તમારું જ મને શરણુ છે. ખાકી, હે પ્રભુ! આપે મને બેધ અને સાચા માર્ગનું ભાન ન કરાવ્યુ` હેાત તે, આ સંસારસમુદ્રમાં રઝળીને હું મરત, ગોથાં ખાધા કરત, ધન્ય છે, હે પ્રભુ, આપની પવિત્રતાને ! જેથી આ રાંક કિંકરને તાર્યો અને તમારા શરણથી મને ચિર શાન્તિ મળશે. આ બાળકને જેમ સમજાવવા ઘટે તેમ, હે નાથ, ભાન કરાવશે. એ જ વિનતી. સ. ૧૯૫૨ વૈશાખ સુદ ૫ પ્રેમસ્વરૂપ પૂજ્ય તરણતારણ એધસ્વરૂપ પરમાત્મા દેવ શ્રી સહેજાત્મસ્વરૂપ સાહેબજી. મા. મુંબાઈ અંદર, શ્રી સાયલેથી લિ. આપના આજ્ઞાંકિત સેવક સેાભાગના નમસ્કાર વાંચશેાજી. આપના કૃપાપત્ર લાલચંદ ભેગા આવ્યે તેમાં લખ્યું છે કે ઘણા દિવસ થયા તમારા પત્ર નથી. તે અહી થી પુત્ર મણિલાલ ભેગે આવ્યા તેની પહેાંચ ત્યાર પછી વિસ્તારથી લખી છે. ત્યાર પછી પન્નું આવ્યું તેની પહેાંચ પણ લખેલ છે. તેમ એક કાગળ લાલચંદમાં બીડેલ, તે આપને મળ્યા જણાતા નથી. આપના કાગળ જે હમણાં બેચાર આવેલ તે ખંભાત બીડી આપ્યા છે. વળી બીજા કાગળ પણ મંગાવે છે તે મણિલાલે કાંક મૂકયા છે તે હાથ લાગ્યા નથી. મણિલાલ મેારખી ગયેલ છે તે ૫-૬ દિન વારા આવ્યાથી કાગળની તજવીજ કરી ખંભાત બીડીશ. ચિ. મનસુખભાઈના વિવાહ વૈ. સુદ ૧૫ના નિરધાર્યા છે અને તે વિવાહ ઉપર સાહેબજી દિન ૪–૫માં પધારશે એમ મેારીથી મણિલાલ લખે છે. તે વાત સાચી હશે. વરધ ક્રૂ કી છે એટલે જવાની તાકીદ હશે, તે પણ એક રાત અહીં પધારવાનું થાય
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy