________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૭૯
- હે પ્રભુ, આ જીવ પૂર્વ કર્મ કર્યા સુખદુઃખ ભોગવે છે. તેમાં, હે પ્રભુ, જ્ઞાની પ્રભુને જે કોઈ પ્રકારથી વૃત્તિ ફરી જતી નથી. વાહ ! ધન્ય છે ! આ તો, હે પ્રભુ, કેાઈ અઘાર કમને ઉદયે એક વૃત્તિ આ મૂઢ બાળકની ઠરતી નથી. પણ, હે પ્રભુ, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને પણ બધું જગત ભ્રમ બતાવ્યું છે એવું તો ચૂંટી ગયું છે કે મારા ગુરુએ-પ્રભુએ જે કીધું તે સત્ છે. તો મને બીજા કોઈમાં આસ્થા આવતી જ નથી. ગુરુ પરમાત્મામાં ભિન્નભાવ નથી ને તે વિના, હે પ્રભુ, બધું ભ્રમ છે. જગત દશ્ય છે તે માટે, હે પ્રભુ, તમે જો કોઈ વાત આ બાળકને કહેવા જોગ હોય તો લખી જાણ કરવા કૃપા કરશે. શાથી જે બીજા કોઈનું મને કહેવું થાય અથવા કાંઈ સાંભળવું થાય પણ મને અંતઃકરણમાં ઊતરે જ નહીં. આપ જે લખે અને કહો જે એ વાત સત્ છે તે કહ્યું જ ખરું છે; તો જ મને શાન્તિ મળે છે.
મને અનુભવથી જોઈ ખરું લાગે તો પણ એમ રહ્યા કરે છે કે જે પ્રભુ સ્વીકારે તો તે પ્રમાણે છે તેથી શાંતિ થાય છે. નહિતર ચિત્ત વિકલ રહે છે. માટે, હે પ્રભુ, આ પત્ર વાંચી આ મૂઢ બાળકને કોઈ પ્રકારે શિખામણથી ખરા મારગનું ભાન અને ભ્રાંતિનું નિરસન કરી જણાવશે. ને જે મિથ્યા હોય તે પણ જણાવશો. આ કહેવું ખરું છે અને આ કહેવું ખોટું છે તે પણ જણાવશો ને ખરો સત્ મત હોય તે પણ જણાવશે. શાથી કે જે હાલમાં અમારે અહીં રૂપચંદ વેદાંતવાત કહે છે તેથી, કરી, હે પ્રભુ, તેઓ વેદાંત મતની વાત ખરી કહી માંહી જીનને સમાવે છે. તે પોતાની કલ્પનાઓ અને મુનિ દેવકરણજીને અમેએ પ્રથમ આપની આજ્ઞાથી સમાધિશતક વાંચવા આપેલ તથા બીજી અમારી પાસે પડી છે તે પણ આપની આજ્ઞાથી વંચાવેલ; તેથી કરી અને આપના બાધથી મુનિ દેવકરણજી મહેતુ અહંકાર દવા પિોતીકું સ્વચ્છદ રોકતા હતા. સમાગની તેમને થોડી થાડી પ્રતીતિ થવા સંભવ હતો. તેમાં અહીં આ વેદાંતીના સમાગમથી અને તેના શાસ્ત્રથી પોતે ક૯૫નાએ સન્માર્ગ, સત્સંગના વિચાર છોડી એક બ્રા છે તે પરમાત્મા છે, તે હું જ છું' એમ