________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૬૩
www
wwwwwwww
નિશાળે મૂકચા. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય એ કહેવત મુજબ આ આળયેાગીએ તે શાળામાં પ્રવેશ કર્યાને પૂરે એક મહિના પણ ન થયા ત્યાં તે બધા આંક પૂરા કરી નાખ્યા. ગેાખવુ. શું એ તેા તેએ સમજતા જ નહિ. કાઈ પ્રકૃતિદત્ત એવી અદ્ભુત શક્તિથી તેમણે એ જ વર્ષમાં સાતમા ધારણ સુધીને અભ્યાસ પૂરા કર્યા. જે શિક્ષકે પહેલી ચાપડીનું ઘેાડું જ્ઞાન આપેલું તેમને આ બળવીરે સાતમી ચાપડી સુધીનું જ્ઞાન બતાવી આપ્યું. પૂર્વજન્મના કોઈ નિગૂઢ સ`કેતથી કેવી પ્રજ્ઞાશક્તિ તેમને મળી હતી તે આ ઉપરથી જણાઈ આવશે.
એમની નૈસર્ગિક કવિતાશક્તિ આમે વર્ષે જ પ્રકાશ પામી રહી હતી. એમણે નાનાવિધ વિષયા કવિતામાં ઉત્તમ શૈલીથી ગૂંથવા માંડયા હતા. અભ્યાસમાં જેમ વિચક્ષણતા તરી આવતી હતી તેમ તેમના લખાણમાં કવિત્વશક્તિ પણ તરી આવતી. નવા નવા વિષયે। પર પહેલે વર્ષે જ આશરે પાંચ હજાર શ્લેાકેા તેમણે રચેલા. દસ વર્ષની નાની વયમાં એમના વિચારા કાઈ મહાન અને ગ`ભીર, પ્રૌઢ ઉમરવાળી વ્યક્તિના હાય તેવા પરિપક્વ હતા.
નવું નવું સાંભળવું, શીખવું અને મનન કરવું એ એમને સહેજ સ્વભાવ હતા. રસમય ભાષણ કરવાની શક્તિ પણ ઇસમે વર્ષે જ અદ્ભુત રીતે ખીલી નીકળી હતી. કવિત્વશક્તિ, સ્મરણશક્તિ, વક્તૃત્વશક્તિ એ તે જાણે એ ખાળયાગીને જન્મથી જ વરેલાં હતાં.
અગિયાર વર્ષની વયમાં તેઓએ ચાપાનિયામાં નિખ ધા આપવા માંડવા અને તેમાં ચાગ્ય ઇનામેા મેળવ્યાં હતાં.
ખાર વર્ષની વયે તેા કવિત્વશક્તિ અલૌકિક રીતે પ્રકાશી ઊઠી હતી. નવા વિષયેાની શેાધમાં રહેવાનુ એમને પ્રિય હોવાથી ત્રણ દિવસમાં એક ઘડિયાળ પર ત્રણસેા શ્લેાક રચી કાઢળ્યા. આમ, અનેક વિષયા પર તેઓ કવિતા રચી કાઢતા અને તે પણ માત્ર ખાર વર્ષની બાળવયમાં જ. તેથી એ કોઈ અદ્ભુત અને વિરલ ખળક હતા તેમ માન્યા સિવાય રહેવાતુ નથી.