________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૫૯
હોય તો માંડ બે પૂછી શકે. કારણ સિવાય સાહેબજી બોલતા ન હતા તેમ જ બોલાવવામાં આવે તે પણ ટૂંકામાં જવાબ આપવાનો એમનો રિવાજ હતા. સાહેબજી જે વખતે ધ્યાનમાં કે વિચારમાં હોય તે વખતે કેઈનાથી કાંઈ પણ બોલી શકાય નહીં'. પણ જ્યારે નીચી દૃષ્ટિ ઊંચી કરી જુએ ત્યારે કંઈ કહેવું હોય તે કહી દઉં'. મને સાહેબજી ‘વવાણિયા સમાચાર’ કહેતા. - સાહેબજીને ઘેર કેાઈ સાધુ વહોરવા આવે તે પોતે પાસે રહીને વહોરાવતા, અને કહેતા, ‘જો તમે અવળી રીતે પ્રરૂપણા કરશે તે બૂરા હાલ થશે, સંસાર રખડવો પડશે એમ ચોક્કસ યાદ રાખજો.’
તેમને માતુશ્રી–પિતાશ્રી કહેતાં, “ભાઈ, આપણી સ્થિતિ સારી નથી. માટે કાંઈ ઉપાય કરો તે ઠીક.” ત્યારે કહેતા,
સ્થિતિ જેવી જોઈએ તેવી સારી થશે તે વિષે કાંઈ ફિકર કરશે નહીં'. સારી રીતે નિભાવ થાય તેવું થશે.” ૧૯૪રમાં સાહેબજી વવાણિયા બંદરથી મુંબઈ પધાર્યા હતા.