________________
e
સદ્દગત શ્રી નાનાલાલભાઈ
પારેખ
સદ્દગત ભગવાનલાલભાઈના વચલા જમાઈ શ્રી નાનાલાલભાઈ એ જે ટૂંક પ્રશસ્તિ લખેલી છે તે આપણે ગયા પ્રકરણમાં વાંચી ગયા. તેમના પરિચયમાં આવતાં શ્રી નાનુભાઈના અંતરમાં તેઓશ્રીની મહત્તાની જે છાપ પડી છે–ગુણદર્શન થયું છે–તેને. હૃદયના ભાવ સાથે સુંદર શબ્દોમાં તેમણે વ્યક્ત કર્યું છે. -
શ્રી નાનાલાલભાઈને તેમની સાથે માત્ર કૌટુંબિક કે વ્યાવહારિક સંબંધ જ નહોતા; પરંતુ પરમાત્મસ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્ર દેવના સન્માગના ઉપાસક તરીકે સહધમી પણાને પૂજ્યભાવ મુખ્ય હતા એ તેમની જીવનચર્યા પરથી જોઈ શકીશું.
શ્રી નાનાલાલભાઈ એક મહાન વ્યક્તિ હતા. તેમનાં લગ્ન ભગવાનલાલભાઈનાં પુત્રી લીલાબહેન સાથે થયાં હતાં. અને ખૂબ સમજણ અને શાંતિથી પોતાનું નિર્મળ જીવન ગાળતાં હતાં. બાળકોમાં તેઓ સુસંસ્કાર પાડતાં હતાં. નાનાલાલભાઈના જીવનમાં ઉત્તમ નીતિ અને પ્રીતિ નીતરતાં હતાં. વેપારમાં સારી રીતે નીતિનું પાલન કરવું અને તેઓ પોતાને સ્વાભાવિક ધર્મ સમજતા. ઉરચ આર્ય સંસ્કૃતિ માટે તેમને ખાસ અભ્યાસ કરવો પડયો નહોતો. પૂર્વ ભવના રૂડા ગુણો લઈને જ જમ્યા હતા. જાણે એ એમના અંતરમાં ઓતપ્રોત વણાઈ જ ગયા હતા. બે ભાવ રાખતા નહી', તેથી ઘરાકોને તેમના પર પૂર્ણ વિશ્વાસ રહેતા. આવી નીતિને લઈ કલકત્તાના વેપારી વર્ગમાં તેમને એક ધમમૂર્તિ તરીકે પ્રભાવ પડતો. પવિત્રતા અને સંતોષના ખૂબ આગ્રહી હતા. પરમકૃપાળુ દેવના વચન પ્રમાણે પરનિંદાને તેઓ મોટું પાપ