SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૫૧ પેાતાના જીવન પર જેમની જીવનસુરભિની અસર અંકિત થઈ હતી, એવા પૂ. ગાંધીજીનાય ગુરુ અને પેાતાના શ્વસુર શ્રીમદ્ રાજચંદ્રજીની પરમ પાવનકારી ધર્મ પરાયણતા શ્રી ભગવાનલાલભાઈએ પેાતાના જીવનમાં સાધનાપૂર્વક વણી લીધી હતી. સ. ૨૦૦૦ (ઈ. સ. ૧૯૪૩) માં એ પરમ તપસ્વીના જન્મસ્થાન વવાણિયા મુકામે શ્રીમદ્ રાજચ'દ્ર જન્મભુવનની તેઓશ્રીએ પ્રતિષ્ઠા કરાવી હતી. ખીજાઓને અર્થે જીવવું અને જરૂર પડયે ખપી જવુ' એ એમનેા જીવનમ`ત્ર અંતકાળ સુધી એમણે અખ'ડ રીતે સાચવ્યેા. દેશના ભાગલા થયા અને કરાંચીમાં હિંદુ પ્રજા માટે ડગલે ને પગલે પારાવાર ભયસ્થાના ખડાં થયાં હતાં ત્યારે એ વિષમ સ્થિતિ વચ્ચેથી દેશમાં જઈ સુરક્ષિત સ્થાને વસવાટ અને વેપાર ઊભા કરવાનું ખાજુ પર મૂકી કરાંચીમાંના પેાતાના સાથીએ સાથે રહીને એ વીરપુરુષે ત્યાં જ મરણને નેત.. ભગવાનલાલભાઈના ગુપ્ત દાનના ઝરે નિત્યનિર'તર વહેતા રહેતા હતા. આવી મદદોમાં કચાંય પેાતાનુ' નામ ન આવે તેની ચીવટ તેઓશ્રી ખાસ રખાવતા. દેશભરમાં કયાંય આપત્તિ આવે કે એમનું ધન અચૂક રીતે એ આપત્તિને સ્થાને સૌથી પહેલુ પહેાંચી જાય એવી એમની લાક્ષણિકતાનેા અનુભવ જાહેર કાર્ય - કર્તાઓને નિરપવાદ રીતે થયા કરતા. કરાંચીના ‘શારદામ દિર ’ના જન્મકાળથી તેઓશ્રીના પિતા શ્રી રણછેાડભાઈ સ`સ્થાના સદાય સહાયક રહ્યા હતા. પિતાને પગલે આ પુત્ર પિતાથી ખૂબ આગળ વધીને સંસ્થાના પ્રાણપાષક બન્યા. સંસ્થાના ઉપ-પ્રમુખ તરીકે પ્રત્યક્ષ અને પરાક્ષ રીતે સસ્થાના વહીવટનું તેઓશ્રી ધ્યાન રાખતા હતા. સંસ્થાનુ` આર્થિક પાસુ ઝીણવટપૂર્વક તપાસતા રહીને જ્યારે જ્યારે સ`સ્થા ભીડમાં મુકાતી ત્યારે તેમાંથી માર્ગ કાઢવાના પ્રયત્નામાં તેઓશ્રી સ'સ્થાને પડખે ઊભા રહીને એ પ્રયત્નોને બળ આપતા અને આવશ્યક બધી જ મદદ કરીને સંસ્થાની ભીડ ભાંગ્યેજ રાખતા.
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy