________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૪૩
www એમ જ, તે પ્રમાણે જ બન્યું અને છેવટ સુધી માથા પાસે બેસી પ્રભુમરણ કયે રાખ્યું. તે આત્માને જ્યાં હશે ત્યાં શાંતિ જ હશે.
મનુષ્યના મનનો શુભ સંકલ્પ તેના કાર્યને અવશ્ય સિદ્ધિ આપે છે. અંતરની પવિત્ર ભાવનાને અશકય કંઈ નથી—જો કે મનુષ્ય કપી શકતો નથી કે તેના સંક૯પની સિદ્ધિ કેવી રીતે થશે. છતાં પ્રબળ ભાવના એ એવી ઉત્તમ વસ્તુ છે કે ગમે તેવા વિપરીત સંજોગોને પણ અનુકૂળ કરી આપે છે; એને કેાઈ રેકી શકતું નથી. આકાશ-પાતાળને ભેદીને પણ તેનું ફળ પ્રગટ થાય છે.
મનની દૃઢ જિજ્ઞાસાને પરિણામે જ મુક્તિ આવે છે માટે કલ્યાણના ઇરછુક જીવે નિરંતર શુભ લાભો જ ચિંતવવા. શ્રી પરમકૃપાળુ દેવે કહ્યું છે :
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, તે ભાવે શુભ ભાવના તે ઊતરે ભવપાર.”